મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો

દેશ સ્વતંત્રતાનાં 78 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. અને આવતીકાલે 79 મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવશે. તે પહેલાં આજના દિવસને ભારતનું વિભાજન થયું હતું અને પાકિસ્તાનનો દુનિયાના નકશા ઉપર જન્મ થયો હતો જેથી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસતરીકે આજના દિવસને ભાજપ દ્વારા મનાવવામાં આવે છે ત્યારે આજે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ભારતીઓએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો.

ભારતના ભાગલા પડ્યા ત્યાર બાદ પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું હતું જો કે, 14 ઓગસ્ટ 1947 ના દિવસે ભારતીઓએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે દેશભરમાં ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. ત્યારે આજે મોરબીમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા રવાપર રોડે આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે, વર્ષ 2021 માં વડાપ્રધાન મોદીએ આ દિવસ મનાવવાની ઘોષણા કરી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે, “દેશના વિભાજનની પીડા ક્યારેય ભૂલાવી શકાય તેમ નથી. નફરત અને હિંસાના કારણે આપણા લાખો નાગરિકોએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હતા. 

આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે દેશના લોકો તે સમયે જે લોકોએ બલિદાન આપ્યા હતા તેને યાદ કરીને શ્રદ્ધાજલી આપી રહ્યા છે અને જેમણે અરાજકતાના એ માહોલ વચ્ચે પોતાના જીવ ગુમાવ્યા હતા. તેમની વેદનાને લોકો આજે પણ યાદ કરે છે ત્યારે કલ્પના માત્રથી તેઓના શરીરમાંથી કંપારી છૂટી જાય છે. અને બધી વાતો આજની યુવા પેઢી અને આવતી કાલના દેશના નાગરિકો જાણે તેના માટે દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરેઘી, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા, માજી પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને ભૂપતભાઇ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ વસાદડીયા દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News