મોરબીની ભારતી વિધાલય શાળામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો
SHARE








મોરબીની ભારતી વિધાલય શાળામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિધાલયમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ દ્વારા કૃષ્ણ ભક્તિના ડાન્સ-નાટ્ય રજુ કરવામાં આવ્યા હતા તેમજ વાસુદેવ નાના બાલ ગોપાલને નંદ બાબાને ત્યાં મુકવા જાય તેવા દ્રશ્યો રજુ કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકોએ આવેલ કૃષ્ણ ભક્તોને કૃષ્ણના પ્રસંગો અને વિષ્ણુ ભગવાનના 10 અવતારની માહિતી પણ આપેલ હતી. તે સાથે શાળાના વિધાર્થીઓને સ્પર્ધાના ઇનામો પણ આપવામાં આવ્યા હતા આ મહોત્સવમાં બહેનો અને ભાઈઓ એમ બંને દ્વારા અલગ અલગ મટકી ફોડવામાં આવેલ અને ત્યાર બાદ દરેક લોકો રાસ ગરબા કરીને આ ઉત્સવની ઉજવણી કરેલ હતી અને અંતમાં શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ આવેલ તમામ વાલી અને નાના કાનુડા અને રાધા બનેલ વિધાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિધાર્થી અને શિક્ષકગણને અભિનંદન આપેલ હતા
