મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નવા એસપી મુકેશકુમાર એન. પટેલ: રાહુલ ત્રિપાઠીની અમદાવાદ એસ.ઓ.જી.માં બદલી


SHARE







મોરબી જિલ્લાના નવા એસપી મુકેશકુમાર એન. પટેલ: રાહુલ ત્રિપાઠીની અમદાવાદ એસ.ઓ.જી.માં બદલી

છેલ્લા ઘણા સમયથી આઇપીએસની બદલીની ચર્ચા ચાલી રહી હતી તેવામાં ગઇકાલે ગુજરાત સરકારે એકી સાથે 105 આઇપીએસ અધિકારીઓની બદલીનો આદેશ કર્યો છે. જેમાં મોરબીના એસપીની બદલી કરીને તેઓને અમદાવાદ એસ.ઓ.જી.માં મૂકવામાં આવેલ છે અને મોરબી જિલ્લાના નવા એસપી તરીકે મુકેશકુમાર એન. પટેલને મૂકવામાં આવ્યા છે.

ગઇકાલે ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે જેમાં 25 જિલ્લાના એસપી, ચાર મોટા શહેરના 32 ડીસીપી સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. અને જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની મોરબીથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. અમદાવાદ ખાતે નિમણૂક કરવામાં આવી છે. જયારે મોરબી જિલ્લાના નવા એસપી તરીકે મુકેશકુમાર એન. પટેલની નિમણૂક કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, તેઓ ગાંધીનગર સીઆઈડી (ક્રાઈમ)ના એસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને તેઓની બદલી કરીને મોરબીના એસપી તરીકે તેઓને નિમણૂક આપવામાં આવી છે.






Latest News