મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું


SHARE











મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના જરૂરિયાત મંદ દર્દીઓને જો દવાની સાથે- સાથે પોષણ યુકત આહર પણ મહી રહે તો તેઓ જલ્દીથી રોગમાંથી સ્વસ્થ થઈ શકે છે. આવા ઉમદા હેતુથી મોરબીના વિટ્રીફાઇડ એસોસિએશનના પ્રમુખ તથા બ્લુઝોન વોલ & વિટ્રીફાઇડ કંપનીના ઓનર મનોજભાઈ એરવાડીયાએ મોરબી તાલુકામાં ટી.બી.ની દવા શરૂ હોય તેવા 200 જરૂરિયાત મંદ દર્દીઓને પોષણ યુક્ત કીટ આપી હતી અને ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેઓને મદદ રૂપ થયા છે.

સમાજના આવા શુભચિંતકો ટીબી મુક્ત ભારત અને સ્વસ્થ ભારત. બનાવવા માટેનું ઉત્ક્રુષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કીટ વિતરણના આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણાદર્દીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડેલ હતું તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી તાલુકા હેલ્થ સુપરવાઈઝ શૈલેષભાઇ પારજીયા, સુપરવાઈઝર દીપકભાઈ પટેલે તેમજ જીલ્લા ક્ષય કેન્દ્રના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી






Latest News