મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી


SHARE







મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી

મોરબી મનપામાં સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ધારાસભ્યો હાજર રહ્યા હતા અને તેની હાજરીમાં વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ મનપામાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં વિકાસ કામ શરૂ કરવામાં આવે અને લોકોને જન્મ મરણના દાખલા માટે હાલાકીનો સામનો કરવો ન પડે તેના માટે અધિકારી અને કર્મચારીઓને સૂચના આપવામાં આવેલ છે.

મોરબી મનપાના સભાખંડમાં આજે કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા હાજર રહ્યા હતા ત્યારે જુદાજુદા વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતુ કે મોરબી મહાપાલિકાની સંકલન બેઠકમાં વિકાસ કામો અંગે ચર્ચા થઈ હતી. અને દોઢેક મહિના પૂર્વે 12 કામ શરૂ કરવામાં આવ્યા હતા. અને આગામી તા.10 ના રોજ વધુ 2 કામો શરૂ કરવામાં આવશે. અને મહિને સરેરાશ 10થી 12 નવા કામો શરૂ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં મહિને એક-બે કામ શરૂ થાયનું પણ આયોજન કરવામાં આવી રહી છે. તો કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ખાસ કરીને મોરબીમાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં જન્મ મરણના દાખલાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વીસીપરા અને રણછોડનગરમાં પાણીની પાઈપલાઈનનો પ્રોજેકટ છે તે અંગે પણ ચર્ચા થઈ હતી. અને લોકોની જે પણ ફરીયાદો હોય છે તેનો તાત્કાલિક નિવેડો આવે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપેલ છે.






Latest News