મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી


SHARE









મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી

મોરબી મનપામાં સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ધારાસભ્યો હાજર રહ્યા હતા અને તેની હાજરીમાં વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ મનપામાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં વિકાસ કામ શરૂ કરવામાં આવે અને લોકોને જન્મ મરણના દાખલા માટે હાલાકીનો સામનો કરવો ન પડે તેના માટે અધિકારી અને કર્મચારીઓને સૂચના આપવામાં આવેલ છે.

મોરબી મનપાના સભાખંડમાં આજે કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા હાજર રહ્યા હતા ત્યારે જુદાજુદા વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતુ કે મોરબી મહાપાલિકાની સંકલન બેઠકમાં વિકાસ કામો અંગે ચર્ચા થઈ હતી. અને દોઢેક મહિના પૂર્વે 12 કામ શરૂ કરવામાં આવ્યા હતા. અને આગામી તા.10 ના રોજ વધુ 2 કામો શરૂ કરવામાં આવશે. અને મહિને સરેરાશ 10થી 12 નવા કામો શરૂ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં મહિને એક-બે કામ શરૂ થાયનું પણ આયોજન કરવામાં આવી રહી છે. તો કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ખાસ કરીને મોરબીમાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં જન્મ મરણના દાખલાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વીસીપરા અને રણછોડનગરમાં પાણીની પાઈપલાઈનનો પ્રોજેકટ છે તે અંગે પણ ચર્ચા થઈ હતી. અને લોકોની જે પણ ફરીયાદો હોય છે તેનો તાત્કાલિક નિવેડો આવે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપેલ છે.






Latest News