મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી


SHARE











મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી

મોરબી મનપામાં સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ધારાસભ્યો હાજર રહ્યા હતા અને તેની હાજરીમાં વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ મનપામાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં વિકાસ કામ શરૂ કરવામાં આવે અને લોકોને જન્મ મરણના દાખલા માટે હાલાકીનો સામનો કરવો ન પડે તેના માટે અધિકારી અને કર્મચારીઓને સૂચના આપવામાં આવેલ છે.

મોરબી મનપાના સભાખંડમાં આજે કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા હાજર રહ્યા હતા ત્યારે જુદાજુદા વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતુ કે મોરબી મહાપાલિકાની સંકલન બેઠકમાં વિકાસ કામો અંગે ચર્ચા થઈ હતી. અને દોઢેક મહિના પૂર્વે 12 કામ શરૂ કરવામાં આવ્યા હતા. અને આગામી તા.10 ના રોજ વધુ 2 કામો શરૂ કરવામાં આવશે. અને મહિને સરેરાશ 10થી 12 નવા કામો શરૂ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં મહિને એક-બે કામ શરૂ થાયનું પણ આયોજન કરવામાં આવી રહી છે. તો કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ખાસ કરીને મોરબીમાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં જન્મ મરણના દાખલાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વીસીપરા અને રણછોડનગરમાં પાણીની પાઈપલાઈનનો પ્રોજેકટ છે તે અંગે પણ ચર્ચા થઈ હતી. અને લોકોની જે પણ ફરીયાદો હોય છે તેનો તાત્કાલિક નિવેડો આવે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપેલ છે.






Latest News