મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ


SHARE













મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ

મોરબીના બેલા ગામે આવેલ શ્રીખોખરા હનુમાનજી મહારાજની પરમપાવની ભૂમિમાં કનકેશ્વરીદેવી ગુરુ પૂજ્ય કેશવાનંદ બાપુ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્મર્ષિ શ્રીકેશવાનંદ બાપુ વેદવિદ્યાલય તેમજ શ્રીસદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ઋષિ પંચમીના દિવસે ૧૩ માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભમાં ઋષિકુમારો દ્વારા વૈદિક મંગલાચરણ કરી વાતાવરણ મંત્રમુગ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રજવલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાવિદ્યાલયના ઋષિકુમાર દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. અને વિદ્યાલયના પ્રધાન આચાર્ય ડૉ. દીપકભાઈ મહેતાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અને સંસ્થાના પ્રતિનિધિ સ્વરૂપે ઉપસ્થિત નાથજી મહારાજ દ્વારા આશીર્વાદ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર સભાનું સંચાલન તેમજ આભાર દર્શન વિદ્યાલયના અધ્યાપક નયનભાઈ વાળાંગર  દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News