મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરામાં જુગાર રમતા પાંચ શખ્સો 10,630 ની રોકડ સાથે પકડાયા


SHARE













વાંકાનેરના નવાપરામાં જુગાર રમતા પાંચ શખ્સો 10,630 ની રોકડ સાથે પકડાયા

વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પાંચ વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 10,630 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોહિતભાઈ જગદીશભાઈ વિજવાડીયા (25), રણછોડભાઈ જગદીશભાઈ વિજવાડીયા (32), વિશાલભાઈ કાનજીભાઈ રાણેવાડીયા (25), ચતુરભાઈ ગોવિંદભાઈ ચાવડા (27) અને જયેશભાઈ શામજીભાઈ ચાવડા (32) રહે. બધા નવાપરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,630 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વીંછી કરડી ગયો

માળીયા મીયાણા તાલુકાના રાયસંગપર ગામે રહેતા રાજેશભાઈ વશરામભાઈ સનારીયા (47) નામના યુવાનને ઘરે હતો ત્યારે ત્યાં વીંછી કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા ગીતાબેન ચંદુભાઈ રૂદાતલા (40) નામના મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News