મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ
Breaking news
Morbi Today

મોરબી: ૪૧ કરોડના રસ્તાના કામો મેધજીભાઈ ચાવડાએ કરાવતા આમરણ ચોવીસીની જનતામાં હર્ષની લાગણી


SHARE







મોરબી: ૪૧ કરોડના રસ્તાના કામો મેધજીભાઈ ચાવડાએ કરાવતા આમરણ ચોવીસીની જનતામાં હર્ષની લાગણી

મોરબી તાલુકાના આમરણ ચોવીસી વિસ્તારના કેરાળી-ફાટસર કોયલી રોડ ૧૦ કરોડ, રાજપર-ખારચીયા રોડ ૬ કરોડ, આમરણ-કોઠારીયા રોડ ૫ કરોડ, આમરણ-માણેકવાડા રોડ ૧૮ કરોડ,  કેરાળી ગામે બ્રીજ ૨ કરોડ કામો મંજુર કરવામાં આવ્યા છે જેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આ વિસ્તારની જનતા આભાર વ્યક્ત કર્યો હતો અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનો સન્માન સમારોહ ફાટસર ગામે રાખવામા આવેલ હતો. ત્યારે ગામના સરપંચો અને આગેવાનો દ્વારા ફુલહારથી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રાસંગિક પ્રવચનમાં મેઘજીભાઈ ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરીને રસ્તાના કામો ગુણવત્તાસભર થાય તેવી કડક સુચના અધિકારીઓએ આપી હતી. આ કાર્યકમમાં ભાજપના આગેવાન સિદ્ધરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય પતિ યોગેશભાઈ પટેલ, હસુભાઈ ગામી, કડીયા જ્ઞાતિના આગેવાન છગનભાઈ રાઠોડ, સરપંચોમા માણેકવાડાના સરપંચ બ્રિજરાજસિંહ, ફાટસરના સરપંચ ચંદુભાઈ, બાદનપરના સરપંચ મનસુખભાઇ, આમરણના સરપંચ કાળુભાઇ અને મયુરભાઈ સવસાણી સહિતના આગેવાનો હજાર રહ્યા હતા.




Latest News