મોરબીમાં જલારામ જયંતિની ઉજવણીમાં ફટાકડા ફોડવાનો મામલો એસપી કચેરી પહોચ્યો: કડક કાર્યવાહીની સમાજના આગેવાનોની માંગ મોરબીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/ કર્મચારીઓએ એકતા શપથ લીધા મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણીને ધ્યાને રખને ઘુનડા રોડ ઉપર ભારે વાહનોની અવર-જવર કરાઇ બંધ મોરબીમાં જાંબુડિયા ખાતે સ્વાદ, સગવડતા સાથે પ્રતિષ્ઠિત વેન્યુ ના ત્રિવેણી સંગમ સમાન હોટલ લેમન ટ્રી પ્રારંભ મોરબીમાં શનિવારથી દાદા ભગવાનની જન્મજયંતી નિમિત્તે સાપ્તાહિક મહોત્સવનું આયોજન: મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો સર્વે કરીને સહાય ચૂકવવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત મોરબી શહેર, તાલુકા અને ટંકારા વિસ્તારમાંથી પકડાયેલ દારૂ બિયરની 11,269 બોટલ ઉપર રોડ રોલર ફેરવી દેવાયું મોરબીમાં રેલવેના બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવનાર યુવાનની શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ જયંતિની ઉજવણીમાં ફટાકડા ફોડવાનો મામલો એસપી કચેરી પહોચ્યો: કડક કાર્યવાહીની સમાજના આગેવાનોની માંગ


SHARE



























મોરબીમાં જલારામ જયંતિની ઉજવણીમાં ફટાકડા ફોડવાનો મામલો એસપી કચેરી પહોચ્યો: કડક કાર્યવાહીની સમાજના આગેવાનોની માંગ

મોરબીમાં આવેલ જલારામ ધામ ખાતે જલારામ જયંતિના દિવસે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થયેલ હતી જે મામલો એસપી સુધી પહોચ્યો છે અને લોહાણા સમાજના આગેવાન સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું જેથી તેને હાર્ટ એટેક આવી જતાં સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમાજમાં પડ્યા છે અને લોહાણા સમાજ અગ્રણીઓએ એસપીને આવેદન પત્ર આપીને કડક પગલાં લેવાની માંગ કરી છે.

મોરબીમાં જલારામ જયંતિ ઉત્સવ સમિતિના રૂચિરભાઈ કારીયા, પિયુષભાઈ પૂજારા, ચંદ્રિકાબેન પલાણ સહિતના આગેવાનોએ એસપીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તેમાં જણાવ્યુ છે કે, ગત તા. 29 ના રોજ લોહાણા જ્ઞાતિના આગેવાન અને સેવાભાવી વડીલ ઘનશ્યામ પુજારા જલારામ મંદિરે ગયા હતા ત્યારે ત્યના સંચાલકો દ્વારા જલારામ ઉત્સવ સમિતિના સભ્યોની સાથે માથાકૂટ કરવામાં આવી રહી હતી અને ઘનશ્યામ પુજારા સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું જેથી તેનો લાગી આવતા મંદિરના પટાંગણમાં જ તેઓને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી તેને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને તેમના દીકરા પિયુષભાઈ પુજારાએ મોરબી એ ડીવીઝન પોલીસને લેખિત ફરિયાદ આપેલ છે. તેમજ લોહાણા સમાજના આગેવાનોએ એસપીને આવેદનપત્ર આપીને તાત્કાલિક અસરથી ગુનો નોંધી તમામ લોકોની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો કડક પગલા લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લોહાણા સમાજ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

વધુમાં માહિતી આપતા લોહાણા સમાજના જલારામ જયંતિ ઉત્સવ સમિતિના રૂચિરભાઈ કારિયાએ જણાવ્યુ હતું કે, જલારામ જયંતીની શોભાયાત્રાને જલારામ મંદિર પાસે પૂર્ણ કરવામાં આવી હતી જેથી કરીને સમિતિના સભ્યોએ ત્યાં આતિશબાજી કરી હતી જેથી કરીને ભાવિન ઘેલાણીએ શોભાયાત્રા સમિતિના સભ્યને ત્યાં બેસાડી દઈને સમિતિના આગેવાનોને ત્યાં બોલાવીને માફી માંગો તેવું કહ્યું હતું જેથી કરીને સમિતિના 60 જેટલા યુવાનો ત્યાં ગયા હતા અને ત્યારે ભાવિન ઘેલાણી દ્વારા મંદિરમાં અપશબ્દો બોલવામાં આવ્યા હતા ત્યાર બાદ મંદિરનો પાયો નાખનારા સમાજના આગેવાન ઘનશ્યામભાઈ પુજારા ત્યાં આવ્યા હતા અને તેઓને અપમાનિત કરવામાં આવતા તેઓને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો જેથી તેને સારવારમાં લઈ જવામાં આવેલ છે અને હાલમાં મંદિર સંચાલકોએ જલારામ મંદિરને રાજકીય અખાડો બનાવી દીધેલ છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો છે.






Latest News