મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યામોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ જયંતિની ઉજવણીમાં ફટાકડા ફોડવાનો મામલો એસપી કચેરી પહોચ્યો: કડક કાર્યવાહીની સમાજના આગેવાનોની માંગ


SHARE













મોરબીમાં જલારામ જયંતિની ઉજવણીમાં ફટાકડા ફોડવાનો મામલો એસપી કચેરી પહોચ્યો: કડક કાર્યવાહીની સમાજના આગેવાનોની માંગ

મોરબીમાં આવેલ જલારામ ધામ ખાતે જલારામ જયંતિના દિવસે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થયેલ હતી જે મામલો એસપી સુધી પહોચ્યો છે અને લોહાણા સમાજના આગેવાન સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું જેથી તેને હાર્ટ એટેક આવી જતાં સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમાજમાં પડ્યા છે અને લોહાણા સમાજ અગ્રણીઓએ એસપીને આવેદન પત્ર આપીને કડક પગલાં લેવાની માંગ કરી છે.

મોરબીમાં જલારામ જયંતિ ઉત્સવ સમિતિના રૂચિરભાઈ કારીયા, પિયુષભાઈ પૂજારા, ચંદ્રિકાબેન પલાણ સહિતના આગેવાનોએ એસપીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તેમાં જણાવ્યુ છે કે, ગત તા. 29 ના રોજ લોહાણા જ્ઞાતિના આગેવાન અને સેવાભાવી વડીલ ઘનશ્યામ પુજારા જલારામ મંદિરે ગયા હતા ત્યારે ત્યના સંચાલકો દ્વારા જલારામ ઉત્સવ સમિતિના સભ્યોની સાથે માથાકૂટ કરવામાં આવી રહી હતી અને ઘનશ્યામ પુજારા સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું જેથી તેનો લાગી આવતા મંદિરના પટાંગણમાં જ તેઓને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી તેને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને તેમના દીકરા પિયુષભાઈ પુજારાએ મોરબી એ ડીવીઝન પોલીસને લેખિત ફરિયાદ આપેલ છે. તેમજ લોહાણા સમાજના આગેવાનોએ એસપીને આવેદનપત્ર આપીને તાત્કાલિક અસરથી ગુનો નોંધી તમામ લોકોની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો કડક પગલા લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લોહાણા સમાજ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

વધુમાં માહિતી આપતા લોહાણા સમાજના જલારામ જયંતિ ઉત્સવ સમિતિના રૂચિરભાઈ કારિયાએ જણાવ્યુ હતું કે, જલારામ જયંતીની શોભાયાત્રાને જલારામ મંદિર પાસે પૂર્ણ કરવામાં આવી હતી જેથી કરીને સમિતિના સભ્યોએ ત્યાં આતિશબાજી કરી હતી જેથી કરીને ભાવિન ઘેલાણીએ શોભાયાત્રા સમિતિના સભ્યને ત્યાં બેસાડી દઈને સમિતિના આગેવાનોને ત્યાં બોલાવીને માફી માંગો તેવું કહ્યું હતું જેથી કરીને સમિતિના 60 જેટલા યુવાનો ત્યાં ગયા હતા અને ત્યારે ભાવિન ઘેલાણી દ્વારા મંદિરમાં અપશબ્દો બોલવામાં આવ્યા હતા ત્યાર બાદ મંદિરનો પાયો નાખનારા સમાજના આગેવાન ઘનશ્યામભાઈ પુજારા ત્યાં આવ્યા હતા અને તેઓને અપમાનિત કરવામાં આવતા તેઓને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો જેથી તેને સારવારમાં લઈ જવામાં આવેલ છે અને હાલમાં મંદિર સંચાલકોએ જલારામ મંદિરને રાજકીય અખાડો બનાવી દીધેલ છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો છે.








Latest News