મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણીને ધ્યાને રખને ઘુનડા રોડ ઉપર ભારે વાહનોની અવર-જવર કરાઇ બંધ
મોરબીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/ કર્મચારીઓએ એકતા શપથ લીધા
SHARE
મોરબીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/ કર્મચારીઓએ એકતા શપથ લીધા
૩૧ ઓક્ટોબરે અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. દેશભરમાં વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/ કર્મચારીઓ એકતા શપથ લીધા હતાં. જેમાં દેશની અખંડિતતા અને દેશવાસીઓની એકતા જાળવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તો મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા દેશમાં એકતાની ભાવના વધુ મજબૂત બને તેવા સંકલ્પ સાથે એકતા શપથ ગ્રહણ કર્યા હતા.