મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શુક્રવારે સરકારી કચેરીઓમાં વંદે માતરમનું સમૂહ ગાન કરીને સ્વદેશીના શપથ લેવાશે


SHARE







મોરબી જીલ્લામાં શુક્રવારે સરકારી કચેરીઓમાં વંદે માતરમનું સમૂહ ગાન કરીને સ્વદેશીના શપથ લેવાશે

ઈતિહાસમાં વર્ષ ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રી ગીત ‘‘વંદે માતરમ’’એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા. ૭મી નવેમ્બર ૨૦૨૫ના રોજ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓમાં વંદે માતરમનું સમૂહ ગાન થશે તથા સ્વદેશીના શપથ લેવાશે. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં શુક્રવારે ૭મી નવેમ્બરે સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ના બદલે સવારે ૯.૩૦થી સાંજે ૫.૧૦ સુધીનો રહેશે.

વંદે માતરમ’@૧૫૦ની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સચિવાલય, વિધાનસભા પરિસર ખાતે યોજાશે. જ્યારે પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા મુખ્ય મથક ખાતે, જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે તથા મેયરની ઉપસ્થિતિમાં મહાનગર પાલિકાઓ સાથે, જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે, નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં તમામ નગરપાલિકાઓ ખાતે વંદે માતરમનું મૂળ સ્વરૂપમાં સમુહગાન કરવામાં આવશે. તથા સ્વદેશી અપનાવવા અને તેને પ્રોત્સાહનના શપથ લેવામાં આવશે. આગામી દિવસોમાં શાળાઓ/કોલેજમાં પણ વંદે માતરમનું મૂળ સ્વરૂપમાં સમુહગાન કરવા માટેના વિવિધ કાર્યક્રમો યોજાશે






Latest News