માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી: સ્વસ્થ જમીન અને ઓછા ખર્ચની દિશામાં એક પગલું લઈ રવિ સિઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીએ


SHARE















મોરબી: સ્વસ્થ જમીન અને ઓછા ખર્ચની દિશામાં એક પગલું લઈ રવિ સિઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીએ

ખરીફ સીઝન બાદ હવે ખેતીમાં રવિ સીઝન શરૂ થવા જઈ રહી છે. આ સમયગાળામાં ખેડૂતો ઘઉં, જીરું, ચણા જેવા મહત્વના રવિ પાકોનું વાવેતર કરે છે. જો આ પાકોમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવવામાં આવે તો ઉપજમાં સુધારો થવા સાથે જમીનની ઉર્વરતા અને સ્વાસ્થ્ય લાંબા ગાળે જળવાઈ રહે છે.


પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવા વાવેતર પહેલા બીજને બીજા અમૃતનો પટ આપી વાવેતર કરવું જેથી બીજની રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમજ ઝડપી અને એકસરખું અંકુરણ થાય છે. પાયાના ખાતર તરીકે જમીનમાં ઘન જીવામૃત આપવાથી છોડને શરૂઆતથી જ પોષક તત્વો મળે છે અને પાકની વૃદ્ધિમાં સારો એવો વધારો થાય છે. પાકની વૃદ્ધિના સમયે નિયમિત અંતરે જીવામૃતનો છંટકાવ અથવા પિયત સાથે તેનો ઉપયોગ કરવાથી છોડ વધુ તંદુરસ્ત અને રોગ-જીવાત મુક્ત બને છે. વાત કરીએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓની તો, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે અને ઉપજમાં ગુણાત્મક સુધારો જોવા મળે છે. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે જેથી સ્વસ્થ પાક, સ્વચ્છ ખોરાક અને સંતુલિત પર્યાવરણ મળી રહે છે. તો ચાલો આ રવિ સિઝનમાં કુદરત સાથે સમન્વય સાધી પ્રાકૃતિક ખેતી અપનાવીએ, જળ જમીન અને પર્યાવરણની જાળવણી કરીએ.





Latest News