માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવવા માટે વધુ એક વખત રજૂઆત


SHARE











મોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવવા માટે વધુ એક વખત રજૂઆત

મોરબી ઉદ્યોગનગરી છે અને અહી બાહરના રાજ્યમાંથી ઘણા વેપારીઓ સહિતના લોકો આવે છે તો પણ અહીથી લાંબા અંતરની એકપણ ટ્રેન નથી માટે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે તો પણ ટ્રેન ફાળવવામાં આવેલ નથી જેથી કરીને મોરબીના સામાજિક કાર્યકર દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરીને લાંબા અંતરોની પેસેન્જર ટ્રેનો ફાળવવા માટેની અને નજરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ કરવાની માંગ કરેલ છે.

મોરબીમાં રહેતા જયેશભાઈ મકવાણાપશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરી  છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી રેલવે સ્ટેશનને 25 વર્ષમાં માત્ર ડેમું ટ્રેન એક જ પેસેન્જર ટ્રેન તરીકે મળેલ છે. અને તે પણ અવાર નવાર ખરાબ થઈ જાય છે જેથી મુસાફરોને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડે છે. માટે વહેલી તકે મોરબીથી વાંકાનેર ઈલેક્ટ્રીક ડેમુ ટ્રેન શરૂ કરવામાં આવે, ગાંમધીધામ કામખીયા વાયા મોરબી આ પેસેન્જર ટ્રેન અઠવાડિયામાં બે દિવસ ચાલે છે, ગાંધીધામ બાંદ્રા વાયા મોરબી પેસેન્જર ટ્રેનનો સમય 5-6 કલાક વહેલી કરી ડ્રેઈલી ટ્રેન ચલાવવામાં આવે તો લોકોની સુવિધામાં વધારો થાય તેમ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી ટ્રેનો વાયા મોરબી થઈને ચલાવવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છના મુસાફરોને ફાયદો થાય તેમ છે અને  ઓખા રાજકોટ પેસેન્જર ટ્રેનને મોરબી સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરેલ છે. આ ઉપરાંત મોરબી નજરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ કરવા માટેની પણ રજૂઆત કરી હતી.






Latest News