સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો મોરબીના રામધન આશ્રમ ખાતે જ્યોતિ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢકની હાજરીમાં ગુરુવારે રાતે સત્સંગનું આયોજન યુદ્ધની અસર: મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસાના ભાવમાં વધારો, વેસ્ટ પેપરની આવક બંધ, ઉદ્યોગ ઑક્સીજન ઉપર આવી ગયો મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત


SHARE













મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત

મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત નીપજ્યું હતું. મૃતક માયાબેન 6 દીકરી અને 1 દીકરાને જન્મ આપ્યા બાદ આ આઠમી વખતે ગર્ભવતી થયા હતા.

મળતી માહિતી અનુસાર, મુળ થાનના માયાબેન સુરેશભાઈ મોરૂણીયા (40) હાલરહે.કુબેર ટોકીઝ પાછળ સોમેશ્વર રોડ મોરબી તા.7ના રોજ પોતાના ઘરે શ્વાસની બીમારી સબબ બેભાન થઈ ગયા હતા. તેમને તત્કાલ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. મોરબી પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.પરિવારજનોની પુછપરછમાં જાણવા મળેલ કે, માયાબેનને ત્રણ માસનો ગર્ભ હતો.તેમના પતિ છૂટક મજૂરી કામ કરે છે.માયાબેનનું પિયર વડિયા ગામ છે. તેઓ બે ભાઈ અને છ બહેનોમાં વચેટ હતા. માયાબેનને સંતાનમાં છ દીકરી અને એક દીકરો છે. સાત સંતાનો માતા વિહોણા થતા પરિવારમાં શોક છવાયો હતો.મૃતક ગર્ભવતી હોવાના કારણે ફોરેન્સિક પીએમ કરવા તજવીજ કરાઈ હતી






Latest News