મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત


SHARE











મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત

મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત નીપજ્યું હતું. મૃતક માયાબેન 6 દીકરી અને 1 દીકરાને જન્મ આપ્યા બાદ આ આઠમી વખતે ગર્ભવતી થયા હતા.

મળતી માહિતી અનુસાર, મુળ થાનના માયાબેન સુરેશભાઈ મોરૂણીયા (40) હાલરહે.કુબેર ટોકીઝ પાછળ સોમેશ્વર રોડ મોરબી તા.7ના રોજ પોતાના ઘરે શ્વાસની બીમારી સબબ બેભાન થઈ ગયા હતા. તેમને તત્કાલ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. મોરબી પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.પરિવારજનોની પુછપરછમાં જાણવા મળેલ કે, માયાબેનને ત્રણ માસનો ગર્ભ હતો.તેમના પતિ છૂટક મજૂરી કામ કરે છે.માયાબેનનું પિયર વડિયા ગામ છે. તેઓ બે ભાઈ અને છ બહેનોમાં વચેટ હતા. માયાબેનને સંતાનમાં છ દીકરી અને એક દીકરો છે. સાત સંતાનો માતા વિહોણા થતા પરિવારમાં શોક છવાયો હતો.મૃતક ગર્ભવતી હોવાના કારણે ફોરેન્સિક પીએમ કરવા તજવીજ કરાઈ હતી






Latest News