ચોટીલા રાજકોટ હાઇવે રોડ ઉપર વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ: કુલ 2.18 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે મોરબીમા છાત્રાલય રોડે આવેલ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના અભાવે બે માળ સીલ કરાયા મોરબીમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટે કરેલ હુકમ સામે આરોપીએ કરેલી અપીલ રીજેકટ: સજાનો હુકમ કાયમ રાખતી સેશન્સ કોર્ટ મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 13 અને 16 તારીખે શહેરમાં જુદીજુદી બે જગ્યાએ સેવા સેતુ ૨.૦ કાર્યક્રમનું આયોજન રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી. નો જથ્થો ઉપલબ્ધ છે: સરકાર મોરબીમાં સત્સંગ સભાથી સ્ત્રી સશક્તિકરણનું જ્ઞાન આપી પિતાએ પુત્રીના જન્મદિવસને યાદગાર બનાવ્યો મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી-ઉપપ્રમુખોની વરણી કરાઇ ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાં ટ્રાન્સપોટ ઉદ્યોગ ઠપ્પ: નેશનલ હાઇવે સૂમસામ
Breaking news
Morbi Today

મોરબીમાં લોકાર્પણ પહેલા જ ખંઢેર થઈ ગયેલા આવાસ મુદે કાલે આપ દ્વારા મુખ્યમંત્રીને કરાશે રજૂઆત


SHARE













મોરબીમાં લોકાર્પણ પહેલા જ ખંઢેર થઈ ગયેલા આવાસ મુદે કાલે આપ દ્વારા મુખ્યમંત્રીને કરાશે રજૂઆત

મોરબીમાં દલવાડી સર્કલ પાસે નગરપાલિકા દ્વારા IHSDP યોજના હેઠળ આશરે 10 વર્ષ પહેલા 500 થી વધુ કવાર્ટર બનાવવામાં આવેલ છે જો કે, તે હજુ સુધી લાભાર્થીઓને સોંપવામાં આવેલ નથી ત્યાર ખંઢેર જેવા થઈ ગયા છે. ત્યારે આ બાબતે આપના આગેવાન દ્વારા લાભાર્થીઓને સાથે રાખીને કાલે મોરબી આવી રહેલા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

મોરબીના શ્રમજીવી પરિવારો અને નબળા પરિવારોને 2 રૂમ, રસોડું અને જાજરૂ વાળા મકાનો પૂરા પાડવાના આશ્રય સાથે સરકારી યોજના હેઠળ આ મકાનો બનાવવામાં આવ્યા હતા અને જો કે, હજુ સુધી કામ સો ટકા પૂર્ણ કરવામાં આવ્યું નથી અને લાભાર્થીઓને મકાનનો કબ્જો આપવામાં આવેલ નથી. છેલ્લા 9 વર્ષથી આ મકાન પડતર હાલતમાં છે અને સરકારી ગ્રાન્ટ રૂપે પ્રજાના રુપિયાનું પાણી કરવામાં આવ્યું છે આટલું જ નહીં આ ફ્લેટના લાભાર્થીઓ પાસેથી નગરપાલિકા દ્વારા પૈસાનું ઉઘરાણું કરી નાખેલ હોય છતાં પણ આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ નથી. તેવી માહિતિ આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયાએ આપેલ છે. વધુમાં એવો આક્ષેપ કરેલ છે કે, અત્યાર સુધી મોરબીના ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ તેમજ તંત્ર લાભાર્થીઓને કવાર્ટરની સુવિધા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવળ્યું છે. ત્યારે ગરીબ પરિવારોને ન્યાય અપાવવા માટે થઈ આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયા તેમની ટીમ સાથે પીડિત પરિવારોને સાથે રાખી કાલે શનિવારે મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે રજૂઆત કરશે અને ગરીબ પરિવારોને ન્યાય માટેની માંગ કરશે.




Latest News