મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં યેનકેન પ્રકારે કોન્ટ્રાકટ લઈને માથું મારતા પોલીસકર્મીની રાજ્યના ડી.જી.ને કરાઇ રજૂઆત


SHARE











મોરબી પાલિકામાં યેનકેન પ્રકારે કોન્ટ્રાકટ લઈને માથું મારતા પોલીસકર્મીની રાજ્યના ડી.જી.ને કરાઇ રજૂઆત

મોરબીમાં પોલીસ ખાતાનાં કર્મચારી તેમના વિસ્તારમાં સ્થાનિક પાલિકામાં વિવિધ કોન્ટ્રાકટ લઈને અંગત માણસોના નામે કામ કરે છે અને સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કરે છે જેથી કરીને તેની તટસ્થ તપાસ કરવાની માંગ સાથે રાજ્યના ડી.જી.ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર સાવસર પ્લોટમાં આવેલ મોરબી શોપીંગ સેન્ટરમાં ઓફિસ ધારવરા રમેશભાઈ બી. રબારી દ્વારા ગુજરાત રાજયના ડી.જી.ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કેપોલીસ ખાતાનાં કર્મચારી તેમના વિસ્તારમાં સ્થાનિક પાલિકામાં વિવિધ કોન્ટ્રાકટ લઈ કામ કરે છે અને તેઓની મુળ ફરજ બજાવતા નથી વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, આ પોલીસકર્મીનું વતન મોરબી છે અને તેઓ મોરબી જિલ્લા બહાર ફરજ બજાવે જો કેફરજ પર ઓછા જાય છે અને મોટે ભાગે મોરબીમાં જ રહે છે અને સ્થાનિકે મંડળો બનાવી સુધરાઈનાં કોન્ટ્રાકટ રાખે છે અને ભારે મોટી ભાગ બટાઈ કરે છે ત્યારે આવા કર્મચારીને તેમની ફરજ ઉપર રહેવા માટે યોગ્ય કરવાની માંગ કરેલ છે વધુમા એવો પણ આક્ષેપ કરેલ છે કેપોલીસ કર્મચારી દ્વારા તેના અંગત માણસોના નામે ત્થા સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કરે છે અને તેના માણસોને પણ પાલીકમાં યેનકેન પ્રકારે ગોઠવી દીધેલ છે જેથી આ મુદે પણ તટસ્થ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે






Latest News