મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી લખધીપુર રોડે કારખાનામાં રમતા રમતા દાઝી ગયેલા બાળકને રાજકોટ સારવારમાં ખસેડાયો


SHARE













મોરબી લધીપુર રોડે કારખાનામાં રમતા રમતા દાઝી ગયેલા બાળકને રાજકોટ સારવારમાં ખસેડાયો

મોરબી લધીપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં રમતા રમતા દાઝી ગયેલા બાળકને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ ફીઓના સિરામિક નામના કારખાનાની અંદર મજૂરીકામ કરતા વિનોદભાઈ મૈયડનો ચાર વર્ષનો દીકરો દુર્ગેશ રમતા રમતા દાઝી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલ નેકક્સ સિનેમા પાસે હોન્ડામાં બેસીને જઈ રહેલા રામજીભાઈ આપાભાઈ ગોહીલ (ઉંમર ૬૦) રહે. ટિંબડી વાળા બાઇકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઇજાઓ થતાં સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતો જય વીરેનભાઈ ઠાકર (ઉંમર ૨૨) નામનો યુવાન મોરબીના મયુર પુલ નીચે નદીના પટમાં બનાવવામાં આવેલ બેઠા પુલ ઉપરથી પસાર થતો હતો ત્યારે વાહન અકસ્માતમાં તેને ઇજા થઇ હતી જેથી કરીને જય ઠાકરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ રામકુવા પાસેથી પસાર થઈ રહેલા બહાદુરભાઇ ડામોર (ઉંમર ૨૪) રહે. વિશાલ ફર્નિચર પાછળ નેશનલ હાઇવે મોરબી વાળાને અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે 








Latest News