મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ઢુવામાં પૈસા લઇ જા તેમ કહીને બોલાવ્યા બાદ યુવાનની નિર્મમ હત્યા


SHARE











મોરબીના ઢુવામાં પૈસા લઇ જા તેમ કહીને બોલાવ્યા બાદ યુવાનની નિર્મમ હત્યા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામે સેન્ટોસા સીરામીક નજીકથી યુવાનની લાશ મળી આવી હતી.માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકીને નિર્મમ હત્યા કરાયેલી લાશ મળી આવી હોય મૃતકના ભાઇ દ્વારા મૃતકના ડેડબોડીને રાજકોટ ખાતે લઇ જઇને ત્યાં પીએમ કરાવવામાં આવ્યું હતું અને ત્યાં હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું હાલ મૃતકના ભાઈએ બે શકદાર સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.મૃતકે શકદાર એવા બે ઈસમો પાસેથી પૈસા લેવાના હોય અને પૈસા આપવાનું કહીને ફોન કરીને બોલાવ્યા બાદ યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે હાલમાં ઉપરોકત બનાવ સંદર્ભે મૃતકના ભાઇ પુષ્પેન્દ્રકુમાર કુંજબીહારી પાલ જાતે ભરવાડ (ઉ.વ.૨૪) ધંધો મજુરી હાલ રહે.રોલેક્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં માટેલ તા.વાંકાનેર જી.મોરબી મુળ રહે.નથુપુરા તા.જી.મહોબા ઉત્તરપ્રદેશ વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના ઢુવા ગામે સેન્ટોસા સિરામિકના પાછળના ભાગેથી માથામાં ગંભીર ઈજા થયેલ હાલતમાં તેમના નાના ભાઈ મદનપાલ કુંજબીહારી પાલ (ઉ.વ.૨૦) હાલ રહે.મિલેનિયમ સીરામીકના લેબર કવાટરમાં તા.મોરબી મૂળ રહે.નથુપુરા તા.જી.મહોબા ઉત્તરપ્રદેશની ડેડબોડી મળી આવી હતી અને મોત શંકાસ્પદ જણાતા તેના મૃતદેહને રાજકોટ ખાતે પીએમ કરવામાં આવતા માથામાં બોથડ પદાર્થ ઝીંકીને તેની હત્યા નિપજાવવામાં આવી હોય તેવો ખુલાસો થયો હતો હાલમાં મૃતક મદનકુમાર કુંજબીહારી પાલના મોટા ભાઇ પુષ્પેન્દ્રકુમાર પાલે વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે શકદાર તરીકે રાઘવેન્દ્ર રામકુમાર રાજપુત રે.એનડીઝાઇન કારખાનુ માટેલ રોડ મોરબી તેમજ અશ્વીન ઉદાભાઇ પગી રે.લાટો ટાઇલ્સ સરતાનપર મોરબી સામે ફરીયાદ નોંધાવેલ છે.જેમા જણાવ્યા પ્રમાણે મૃતક મદનપાલ કુંજબીહારી વાળો ઉરરકોત બન્ને શકદારો પાસે પૈસા માંગતો હોય જે પૈસા આપવા ન પડે તે માટે રાઘવેન્દ્રએ મરણ જનાર મદનપાલને ફોન કરી પૈસા લેવા માટે બોલાવી બન્ને શકદારોએ અકેબીજાની મદદગારી કરીને મદનપાલની માથામાં બોથડ પદાર્થ ઝીંકી દઇને હત્યા નિપજાવી હોય હાલ કલમ ૩૦૨, ૧૧૪ હેઠળ રાઘવેન્દ્ર રામકુમાર રાજપુત અને અશ્વીન ઉદાભાઇ પગી સામે ગુનો નોંધીને મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંન્શલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ પી.જી.પનારાએ આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News