મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના દલિત સમાજના આગેવાનો નરેશભાઈ પટેલને મળવા માટે કાગવાડ પહોચ્યા


SHARE













મોરબી જિલ્લાના દલિત સમાજના આગેવાનો નરેશભાઈ પટેલને મળવા માટે કાગવાડ પહોચ્યા

કાગવડ ખોડલધામ ખાતે  સૌરાષ્ટ્રના દલિત સમાજના તમામ આગેવાનોકાર્યકર્તાઓ ખોડલધામ સંસ્થાના ચેરમેન અને પાટીદાર શ્રેષ્ઠી નરેશભાઈ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે અને આવનાર ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેશભાઈ પટેલને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં આવે તે કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લામાંથી ૮૦ જેટલા દલિત સમાજના આગેવાનો ખોડલધામ ગયા હતા. જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનીક મુછડીયામોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રમુખ અશ્વિન પરમારમોરબી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ દામજીભાઈ મકવાણામોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન દીપકભાઈ પરમારપૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ ચૌહાણરવજીભાઈ સોલંકીજગદીશભાઈ મુછડીયાવિનુભાઈ પરમારભૂપત મામાંવિનોદ ચૌહાણકિશોર ઉભડિયાપ્રેમજી બાપા સહિતના આગેવાનો  નરેશભાઇ પટેલને રૂબરૂ મળ્યા હતા અને કોંગ્રેસમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું સાથે સાથે નરેશભાઈ પટેલ જો કોંગ્રેસમાં આવે તો ગુજરાતભરના દલિત સમાજ એમના સાથે રહેશે એવી પણ ખાતરી આપવામાં આવી હતી દલિત સમાજની આવી અપીલથી નરેશ ભાઈ ગદગદિત થઈ ગયા હતા અને એમને સામાજિક એકતા અને ભાઈચારાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.








Latest News