મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાંથી સગીરાનું અપહરણ : ગુનો નોંધાયો


SHARE













વાંકાનેર નજીક કારખાનામાંથી સગીરાનું અપહરણ : ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાની હદમાં આવેલા સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતાં યુવાનની બહેનનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં તેણે એક શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર ઉદ્યોગમાં રોજગારી માટે બહારના રાજયોમાંથી અનેક પરિવારો મોરબીમાં આવતા હોય છે તેવી જ રીતે મધ્યપ્રદેશથી આવેલ એક મજુર પરિવાર વાંકાનેર તાલુકાની હદમાં આવેલા સિરામિક કારખાનાની અંદર રહીને ત્યાં મજૂરી કામ કરતો હતો.દરમિયાનમાં તે પરિવારની સગીરવયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું છે.જેથી સગીરાના ભાઈએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉમાશંકર ગૌરાંગસુંદર ભુણીયા રહે.પશ્ચિમ બંગાળ વાળાની સામે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધી કાઢવા માટે તજવીજ શરૂ કરી છે.

યુવાન સારવારમાં

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવતા બોડકા ગામનો રહેવાસી સુભાષ ધીરૂભાઇ સોલંકી નામનો ૩૫ વર્ષીય યુવાન બોડકા ગામે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો અને જેથી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહીલે પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે આગળની તપાસ માટે જોડીયા પોલીસને બનાવની જાણ કરી હતી.તેમજ જામનગર જિલ્લાના આણંદાઅનડા ગામના રહેવાસી રઘુભાઈ જેરામભાઈ ભીમાણી બાઈક લઈને જતા હતા ત્યારે ધ્રોલ પાસેના માજોઠ ડેમ નજીક તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત થવાથી રઘુભાઈ ભીમાણીને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા રહીમ સોકતભાઈ જાનીયા નામના ૨૩ વર્ષીય સંધી યુવાનને લાતીપ્લોટ વિસ્તારમાં કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી.








Latest News