ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજાવડલા ગામની સીમમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા : ૨૫૪૦૦ નો મુદામાલ જપ્ત


SHARE













વાંકાનેરના રાજાવડલા ગામની સીમમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા : ૨૫૪૦૦ નો મુદામાલ જપ્ત

વાંકાનેરના રાજાવડલા ગામે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જાહેરમાં જુગાર રમતા ૧૧ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૫૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.

વાંકાનેર શહેર પોલીસના સર્વેલન્સ સ્ટાફના હરપાલસિંહ પરમાર અને પ્રતિપાલસિંહ વાળાને મળેલી સચોટ બાતમીના આધારે રાજાવડલા સીમમાં આવેલી બીપીએલ સ્કૂલની બાજુમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમતા હુસેનભાઇ જલાભાઈ દેકાવાડીયા, હર્ષદભાઈ પ્રભુભાઈ ખીરૈયા, કેશુભાઈ છગનભાઈ દેત્રોજા, ગણેશભાઈ જીવરાજભાઈ તરાદિયા, છનાભાઈ રામજીભાઈ જેઠરોજા, વિનોદગીરી જમનાગીરી ગોસ્વામી, બેચરભાઈ રૂપાભાઈ દેત્રોજા, કાળુભાઈ છનાભાઈ માણસુરીયા, અશોકભાઈ હેમુભાઈ દેત્રોજા, કમલેશભાઈ મગનભાઈ દેત્રોજા અને કેશુભાઈ પોપટભાઈ માલકિયા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૫૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આ કામગીરી પીઆઇ એન.એ. વસાવાની સૂચના મુજબ હીરાભાઈ મઠીયા, હરપાલસિંહ પરમાર, પ્રદિપસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલા, મુકેશભાઈ વસાણી, કૃષ્ણસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, દિવ્યરાજસિંહ ઝાલા, જનકભાઈ ચાવડા, શક્તિસિંહ જાડેજા અને અજીતભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

ગળેફાંસો ખાઈ લેતા સારવારમાં

માળિયા-મિંયાણાના ખાખરેચી ગામે રહેતા બંસીભાઈ ગોગજીભાઈ ભોજેય નામનો યુવાન તેના ઘેર કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીના સામાકાંઠા આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો. જેથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે આ અંગે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી હતી.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર યદુનંદન ગૌશાળા નજીક રહેતા હરીતાબેન લક્ષ્મીકાંતભાઈ પાંડે નામની ૨૫ વર્ષીય મહીલા કોઇ કારણોસર એસિડ પી લેતા તેણીને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેણીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

હળવદ તાલુકાના દેવીપુર ગામે સીમ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં પરસોતમ નરસીભાઇ તારબુંદીયા, ચંદુભાઈ હરજીભાઇ તારબુંદીયા અને અમૃતભાઈ હરજીભાઈ તારબુંદીયા નામના ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.મોરબીના રવાપર રોડ હનુમાન મંદીર પાસે રહેતા ચંદ્રિકાબેન કિશોરભાઈ સાગઠીયા નામની ૨૫ વર્ષીય મહિલા બાઈકમાં જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થતાં તેઓને સારવારમાં ખસેડાયા હતા.








Latest News