મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા શૈક્ષણિક સંસ્થાઓની પાલિકામાં રજૂઆત


SHARE







મોરબીના શનાળા રોડ ઉપર શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા શૈક્ષણિક સંસ્થાઓની પાલિકામાં રજૂઆત

મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગની સામે ઓમશાંતિ વિદ્યાલય, ઓમ વી.વી.આ. કોલેજ તથા ડો. જયંતીભાઈ ભાડેસિયાના દવાખાના પાસે શાકમાર્કેટ ભરાઈ છે જે કોરોના સમયે ત્યાં લઈ જવામાં આવી હતી અને તે સમયે શાળાઓ બંધ હતી જો કે, હાલમાં શાળા કોલેજ શરૂ કરવામાં આવેલ છે જેથી કરીને વિદ્યાર્થી અને શાળાના વાહનોને પાર્ક કરવામાં મુશ્કેલી થાય છે જેથી આ શાક માર્કેટ અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવી છે

સરકાર કોવિડ ૧૯ બાબતે ખાસ કરીને બાળકોમાં શિક્ષણ બાબતે ચિંતિત છે અને હાલમાં સરકારની મંજૂરીથી શાળાઓ ચાલુ કરવામાં આવી છે જો કે, કોરોના સમયે શનાળા રોડ ઉપર જે માર્કેટ ચાલુ કરવામાં આવી હતી તેની આજુબાજુમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલ છે જેથી કરીને તે બાળકો માટે ઘાતક સાબિત થાય તેમ છે કેમ કે બાળકોને વેકસીન અપાયેલ નથી અને સવારમાં માર્કેટમાં ભીડ કોઈપણ ગાઈડ લાઈનને અનુસરતી નથી અને તે જ સમયે તે રોડ પરથી આશરે ૫૦૦૦ બાળકો ઓમશાંતિ વિદ્યાલય, ઓમશાંતિ અંગ્રેજી મીડીયમ, ન્યુ ઓમશાંતિ, માસુમ વિદ્યાલય, ઓમવીવીઆઈ કોલેજ, કન્યા છાત્રાલય, નવયુગ વિદ્યાલય, તપોવન વિદ્યાલય માટે જતાં હોય છે આ મહામારીનો ભોગ બાળકો મ બને તે માટે માર્કેટ અહીથી દૂર કરવામાં આવે તે જરૂરી છે

હાલમાં જે માર્કેટ ભરાઈ છે તેના કારણે સવારમાં શાકમાર્કેટમાં આવતા લોકો અને શાકભાજી વાળાઓ પોતાના વાહનો આડેધડ પાર્ક કરે છે ઘણી વખત શાળા અને હોસ્પિટલમાં આવવાના રસ્તા વચ્ચે વાહન પાર્ક થાય છે કોઈ ઈમરજન્સી પેશન્ટ હોસ્પિટલ સુધી પહોચી ન શકે તેવી સ્થિતી સર્જાય છે, કોલેજ અને શાળામાં વિદ્યાર્થીઓ પોતાની સાયક્લો અને વાહન પાર્ક સવારે માર્કેટવાળ ગ્રાઉન્ડમાં કરે છે જે પાર્કીગ ન થવાથી વાહનો રોડ પર પાર્ક કરવા પડે છે, સંભવિત ત્રીજી લહેર આવે તો આ માર્કેટ ચેપ ફેલાવવાની એન્ટ્રી બની શકે છે, શનાળા રોડ પરથી સવારના સમયે પસાર થતા લોકો માટે પણ આ માર્કેટ ટ્રાફીક સમસ્યા રૂપ બને છે, માર્કેટમાં આવતા વેપારીઓ પાછળ કચરો છોડી જાય છે અને કચરાના ઢગલા થાય છે જે બાળકોના સ્વાથ્ય માટે નુકશાનકારક છે ત્યારે જો હવે આ માર્કેટને બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ચાલવાનો રસ્તો એક માત્ર વિકલ્પ બની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News