મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વવાણીયા ગામે ગળેફાસો ખાઇ જતાં પરિણીતાનું મોત


SHARE











મોરબીના વવાણીયા ગામે ગળેફાસો ખાઇ જતાં પરિણીતાનું મોત

મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના વવાણીયા ગામે પરિણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક તથા માળીયા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ માળિયા-મિંયાણાના વવાણીયા ગામે રહેતા રઝીયાબેન અસગરઅલી સુલેમાનભાઈ શેખ નામની ૨૧ વર્ષીય પરિણીતાએ તેના ઘેર ગઈકાલ તા.૩ ના રોજ બપોરે એકાદ વાગ્યે ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેણીનું મોત નીપજયું હતું જેથી રઝીયાબેનના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરતા માળીયા પોલીસ મથકના એચ.એમ.મકવાણાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

માળીયા મીંયાણામાં યુવાન ઉપર લોખંડની ટામી વડે હુમલો

માળીયા મીંયાણામાં નવા રેલ્વે સ્ટેશન પાસે રહેતો રફીક હનીફભાઈ ભટ્ટી નામનો ૨૫ વર્ષનો યુવાન ઇરફાનભાઈની દુકાન પાસે ઉભો હતો ત્યારે તેની પાસે આવીને અકબરઅલી અને સલમાન નામના બે લોકો તેની પાસે આવ્યા હતા અને ફોન ઉપર વાત કર્યા બાદ બંને દ્વારા લોખંડની ટોમી વડે રફિકભાઈ ભટ્ટી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને રફિકભાઈ ભટ્ટીને માળીયા મીંયાણા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને માળીયા પોલીસને જાણ કરતાં માળીયા પોલીસે બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીની અવની ચોકડી લીલાપર રોડ નજીક આવેલા મિલાપ નગરમાં રહેતા ભાવીન રમેશભાઇ ગાંભવા નામના ૩૬ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા રાજેશભાઈ ભૂપતભાઈ નામના ૫૫ વર્ષીય આધેડ મોરબી કેનાલ રોડ ઉપરથી બાઈક લઈને જતા હતા ત્યાં કાર ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા રાજભાઈ ભુપતભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.






Latest News