ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી-માળિયાના બાવન ગામોને કેનાલથી સિંચાઈનું પાણી મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબી-માળિયાના બાવન ગામોને કેનાલથી સિંચાઈનું પાણી મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી અને માળિયા તાલુકાના ૫૨ (બાવન) ગામો કે જે ગામો ને કોઈ પણ જાતની સિંચાઈની સુવિધા નથી માટે સિંચાઈ વિહોણા ગામોને  કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવામાં આવે તેના માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે

મોરબી અને માળિયા તાલુકાના ૫૨ (બાવન) ગામોમાં આજે પણ સિંચાઈની સુવિધા નથી તેવા ગામો માટે કેનાલ દ્વારા સિંચાઈ આપવાની માંગણી વારંવાર કરેલ છે. આ અમારી માંગણીને પાંચ વર્ષ કરતા પણ વધારે સમય થયેલ છે. અને મોરબી-માળિયા વિધાનસભાની ગત પેટા ચુંટણી સમયે ભાજપ વરિષ્ઠ આગેવાનો દ્વારા વચન આપવામાં આવેલ હતું કે “આપની માંગણીને અમો ન્યાય આપીશું” જો કે હજુ સુધી પાણી મળતું નથી 

થોડા સમય પહેલા મોરબીમાં એક ખાનગી મીટીંગ મળે હતી. જેમાં આ ગામોમાંથી કેટલાક આગેવાનો આવેલ હતા તેમાં પણ પાણી માટે ચર્ચા કરી હતી જો કે પાણી આવેલ નથી ત્યારે નર્મદા યોજનાના વધારાના પાણીની ફાળવણી જો કચ્છ જીલ્લામાં થઇ શક્તિ હોય તો આ મોરબીના બાવન ગામોને શા માટે નહી ? અને એ પણ કચ્છના ફાળવાયેલ જથ્થાના માત્ર બે ટકા જ પાણીની જરૂરિયાત છે. તે છતાં  મોરબીને લાભ શા માટે નહિ..?

મોરબીના આગેવાનોનું ઉપર કાઈ ઉપજતું નથી? ત્યારે અમુક ગામના તળાવો  ભરવાની વાત કરવામાં આવી છે તેને વિરોધ નથી પરંતુ કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની માંગ છે આ તળાવ વાળી  યોજનામાં તો જેતે  ગામના ખુબ નાની સંખ્યામાં એટલે કે મુઠ્ઠી  ભાર લોકોને જ તેનો લાભ મળશે  અને મોટી સંખ્યામાં ખેડૂતો સિંચાઈના  લાભથી વંચિત  રહી જશે. અમોને તો એવી પણ શંકા છે કે આવું કદાચ ખેડૂતોમાં ભાગલા પડાવીને અંદોલનને તોડવાના પ્રયત્નોના ભાગ રૂપે થઇ રહ્યું  છે. પરંતુ જો આ બાબતે વહેલાસર યોગ્ય નહિ કરવામાં આવે તો ના છુટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા  માર્ગે રજુઆતો કરવામાં આવશે








Latest News