મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી-માળિયાના બાવન ગામોને કેનાલથી સિંચાઈનું પાણી મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી-માળિયાના બાવન ગામોને કેનાલથી સિંચાઈનું પાણી મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી અને માળિયા તાલુકાના ૫૨ (બાવન) ગામો કે જે ગામો ને કોઈ પણ જાતની સિંચાઈની સુવિધા નથી માટે સિંચાઈ વિહોણા ગામોને  કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવામાં આવે તેના માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે

મોરબી અને માળિયા તાલુકાના ૫૨ (બાવન) ગામોમાં આજે પણ સિંચાઈની સુવિધા નથી તેવા ગામો માટે કેનાલ દ્વારા સિંચાઈ આપવાની માંગણી વારંવાર કરેલ છે. આ અમારી માંગણીને પાંચ વર્ષ કરતા પણ વધારે સમય થયેલ છે. અને મોરબી-માળિયા વિધાનસભાની ગત પેટા ચુંટણી સમયે ભાજપ વરિષ્ઠ આગેવાનો દ્વારા વચન આપવામાં આવેલ હતું કે “આપની માંગણીને અમો ન્યાય આપીશું” જો કે હજુ સુધી પાણી મળતું નથી 

થોડા સમય પહેલા મોરબીમાં એક ખાનગી મીટીંગ મળે હતી. જેમાં આ ગામોમાંથી કેટલાક આગેવાનો આવેલ હતા તેમાં પણ પાણી માટે ચર્ચા કરી હતી જો કે પાણી આવેલ નથી ત્યારે નર્મદા યોજનાના વધારાના પાણીની ફાળવણી જો કચ્છ જીલ્લામાં થઇ શક્તિ હોય તો આ મોરબીના બાવન ગામોને શા માટે નહી ? અને એ પણ કચ્છના ફાળવાયેલ જથ્થાના માત્ર બે ટકા જ પાણીની જરૂરિયાત છે. તે છતાં  મોરબીને લાભ શા માટે નહિ..?

મોરબીના આગેવાનોનું ઉપર કાઈ ઉપજતું નથી? ત્યારે અમુક ગામના તળાવો  ભરવાની વાત કરવામાં આવી છે તેને વિરોધ નથી પરંતુ કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની માંગ છે આ તળાવ વાળી  યોજનામાં તો જેતે  ગામના ખુબ નાની સંખ્યામાં એટલે કે મુઠ્ઠી  ભાર લોકોને જ તેનો લાભ મળશે  અને મોટી સંખ્યામાં ખેડૂતો સિંચાઈના  લાભથી વંચિત  રહી જશે. અમોને તો એવી પણ શંકા છે કે આવું કદાચ ખેડૂતોમાં ભાગલા પડાવીને અંદોલનને તોડવાના પ્રયત્નોના ભાગ રૂપે થઇ રહ્યું  છે. પરંતુ જો આ બાબતે વહેલાસર યોગ્ય નહિ કરવામાં આવે તો ના છુટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા  માર્ગે રજુઆતો કરવામાં આવશે






Latest News