ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં અમરધામ પાસે અગાઉના ઝઘડાનો ખાર રાખીને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી


SHARE













વાંકાનેરનાં અમરધામ પાસે અગાઉના ઝઘડાનો ખાર રાખીને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે અગાઉ થયેલા ઝઘડાના લીધે ગામ છોડીને જતી રહેલ મહિલા તેના પરિવાર સાથે ગામમાં રહેવામાં માટે આવતા અગાઉના ઝઘડાનો ખાર રાખીને બે શખ્સો દ્વારા તેને માટેલ રોડ ઉપર આમરધામ પાસે રોકીને ગાળો આપવામાં આવી હતી અને મહિલાને તેમજ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં માટેલ શીતળાધાર વિસ્તારમાં રહેતા રૂપલબેન ભાવેશભાઇ મુંધવા જાતે ભરવાડ (ઉ.૩૨)એ હાલમાં જાલાભાઇ રામાભાઇ ડાભી જાતે ભરવાડ તથા રાઘવભાઇ ડાભી જાતે ભરવાડ રહે. બંને વીરપર તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ કરલે છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકામાં ઢુવા માટેલ રોડ ઉપર આવેલ અમરધામ પાસેથી તે પસાર થતાં હતા ત્યારે તેઓને અગાઉ આરોપીઓ સાથે અગાઉ ઝઘડો થયેલ હતો જેના કારણે ફરીયાદ તેમના પરીવાર સાથે બીજે રહેવા માટે જતા રહેલ હતા અને આ કામના ફરીયાદી માટેલ ખાતે તેમના બાળકો સાથે પરત રહેવા માટે આવેલ હોવાથી અગાઉનુ મનદુઃખ રાખી આરોપીઓએ ફરીયાદી મહિલાને માટેલ ગામે નહી રહેવા દબાણ કરીને ભુંડાબોલી ગાળો આપી હતી અને ફરિયાદીને તથા તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી માટે હાલમાં પોલીસે આઇ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે








Latest News