મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સની ૫૩,૧૦૦ ના મુદામાલ સાથે ધરપકડ, એકની શોધખોળ


SHARE







વાંકાનેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સની ૫૩,૧૦૦ ના મુદામાલ સાથે ધરપકડ, એકની શોધખોળ

વાંકાનેરમાં અમરસર ફાટક પાસે ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુમાં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઓનલાઇન સોદાઓ કરીને રનફેરનો જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જે કરીને પોલીસે તેની પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ ૫૩,૧૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના અમરસર ફાટક પાસે આવેલ ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુમાં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ ટીમ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઓનલાઇન જોઈને હાર જીતના રનફેરના સોદા કરીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી અંકિતભાઈ શાંતિલાલ નંદાસિયા જાતે કુંભાર (૩૧) રહે. અરુણોદય સોસાયટી વાંકાનેર તેમજ ઉમંગભાઈ રામુભાઈ ધરોડિયા જાતે કુંભાર (૨૩) રહે. મિલ પ્લોટ ચોક પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સોએ ચિરાગભાઈ ઉર્ફે ચીરકુટ વામજા રહે. થાનગઢ જોગઆશ્રમ પાસે થાનગઢ વાળા પાસેથી રાધે એક્સચેન્જ નામની એપ્લિકેશનમાં અલગ અલગ આઈડી પાસવર્ડ મેળવી આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ ત્રણેય શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે અને હાલમાં અંકિતભાઈ અને ઉમંગભાઈની ધરપકડ કરવામાં આવેલ છે અને અંકિતભાઈ પાસેથી ૨૫,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ તથા ૨૧૦૦ રૂપિયા રોકડા અને ઉમંગભાઈ પાસેથી ૨૦,૦૦૦૦ ની કિંમતનો એક મોબાઇલ અને ૬,૦૦૦ રોકડા આમ કુલ મળીને ૫૩૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી ચિરાગભાઈ ઉર્ફે ચીરકુટને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આધેડ સારવારમાં
મોરબીમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ રાઠવા (૪૯) નામના આધેડને સરદારબાગ પાસે કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેને ઈજા થઇ હોવાથી ઇજા પામેલ આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલ શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા મીનાબેન હિરેનભાઈ નાગર નામના મહિલા એકટીવા લઈને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના એકટીવાને પાછળથી રીક્ષા ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં મીનાબેન સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી






Latest News