જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરા હાઇવે ઉપર કારનો દરવાજો ખોલીને મોબાઈલ ફોનની ચોરી


SHARE













વાંકાનેરના જીનપરા હાઇવે ઉપર કારનો દરવાજો ખોલીને મોબાઈલ ફોનની ચોરી

વાંકાનેરના જીનપરા હાઇવે ઉપર આવેલ રાજવીર મોબાઇલ પાસે યુવાને પોતાની ગાડી ઉભી રાખી હતી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ગાડીનો દરવાજો ખોલીને તેમાંથી સીલપેક મોબાઈલ ફોનની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં પ્રતાપ ચોક બ્રાહ્મણ શેરી ખાતે રહેતા ઉત્કર્ષભાઈ આશિષભાઈ ત્રિવેદી જાતે બ્રાહ્મણ (૨૯)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રાજવીર મોબાઇલ પાસે તેણે પોતાની મારુતિ સુઝુકી એસક્રોસ ગાડી ઊભી રાખી હતી અને તેમાં TECNO POP8 મોબાઇલ જેની કિંમત ૭૦૦૦ રૂપિયા છે તે મોબાઈલ મુક્યો હતો અને આ સીલપેક મોબાઈલ કારનો દરવાજો ખોલીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

આધેડ સારવારમાં
મોરબીમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા પ્રાણજીવનભાઈ મગનભાઈ વડગામા (૫૪) નામના આધેડ બાઈક લઈને મોરબીના વાવડી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે સમજુબા સ્કૂલ નજીક બાઇક ઉપરથી તેઓ પડી જતા તેમને ઇજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા પ્રાણજીવનભાઈને સારવાર માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલે તેને સારવાર આપ્યા બાદ આ  બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાળકી સારવારમાં
મોરબીમાં આવેલ શક્તિનગર સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ ગજીયાની ચાર વર્ષની દીકરી નેત્રાને ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી તે પગપાળા જઈ રહી હતી ત્યારે એકટીવા વાળાએ હડફેટ લેતા ઇજા થઈ હતી જેથી કરીને બાળકીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે






Latest News