બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક પાણીની તલાવડીમાંથી ડોકમાં ચુંદડી બાંધેલ હાલતમાં આધેડનો મૃતદેહ મળ્યો, ચુંદડીનો બીજો છેડો બાઈકમાં એંગલ બાંધેલ હોવાથી અનેક તર્કવિતર્ક


SHARE











માળીયા (મી) નજીક પાણીની તલાવડીમાંથી ડોકમાં ચુંદડી બાંધેલ હાલતમાં આધેડનો મૃતદેહ મળ્યો, ચુંદડીનો બીજો છેડો બાઈકમાં એંગલ બાંધેલ હોવાથી અનેક તર્કવિતર્ક

માળીયા નજીક મચ્છુ નદીના કાંઠે ફતેપર ગામ નજીક કાચા રોડની બાજુમાં પાણીની તલાવડીમાં ડોકમાં ચુંદડી બાંધીને તે ચુંદડીનો બીજો છેડો બાઈકમાં એંગલ સાથે બાંધીને ડૂબી ગયેલ હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી મૃતકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની હોસ્પિટલે લઈ ગયા છે અને આ બનાવની મૃતકના દીકરાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયાની તાલુકાના જૂના અંજીયાસર ગામે રહેતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર જાતે મીયાણા (55) નામના આધેડનો મૃતદેહ માળિયા નજીક મચ્છુ નદીના પૂર્વ તરફના કાંઠે ફતેપર ગામ તરફ જવાના કાચા રોડ ઉપર ભરાયેલ પાણીના તલાવડા પાસેથી મળી આવ્યો હતો અને જ્યારે આધેડનો મૃતદેહ પાણીના તલાવડા પાસેથી મળી આવ્યો ત્યારે તેના ડોકે ચુંદડી બાંધેલ હતી અને તે ચુંદડીનો બીજો છેડો મોટર સાયકલની એંગલ સાથે બાંધેલો હતો અને પાણીમાં ડૂબી જતા આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે પ્રથમ માળિયા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મોકલાવેલ છે અને આ બનાવ અંગેની મૃતકના દીકરા સાહિલભાઈ હાજીભાઈ મોવર જાતે મિયાણા (23) રહે. જુના અંજીયાસર વાળાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક આધેડ તા. ના રોજ રાત્રે તેઓના ઘરેથી જમીને નીકળી ગયા હતા અને ત્યારબાદ તા. 3 ના બપોરના 1:00 વાગ્યાના અરસામાં તેનો પાણીના તલાવડા પાસેથી ડોકમાં ચૂંદડી બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી બનાવ હત્યાનો છે કે આપઘાતનો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને ફોરેન્સિક પીએમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.






Latest News