લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રાન્સપોર્ટ નગર બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE

















મોરબી નજીક ટ્રાન્સપોર્ટ નગર બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીની આસપાસમાં બે હજાર કરતાં નાના મોટા કારખાના આવેલ છે જેમાં માલની હેરાફેરી માટે દરરોજ હજારોની સંખ્યામાં વાહનો દોડતા હોય છે. તેમ છતાં પણ મોરબીની આસપાસમાં ટ્રાન્સપોર્ટ નગરની કોઈ સુવિધા નથી જેથી કરીને સામાજિક કાર્યકર દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મોરબી નજીકના વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઇ ગઢવી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, સિરામિક, સેનિટેશન, પેપર મીલ, પોલીપેક, ઘડિયાળ અને નળિયા સહિતના નાના મોટા બે હજાર જેટલા કારખાના મોરબીની આસપાસમાં આવેલ છે. જેમાં માલ લાવવા અને લઈ જવા માટે હજારોની સંખ્યામાં વાહનો દોડતા હોય છે જો કે, ટ્રક મૂકી શકાય તેવું કોઈ ટ્રાન્સપોર્ટ નગર આજની તારીખે પણ મોરબીમાં નથી જેથી કરીને ટ્રક ડ્રાઇવરો અને ક્લીનરને સુવિધા મળે તે માટે મોરબી નજીકના વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનગર બનાવવામાં આવે અને ત્યાં પાણી સહિતની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 




Latest News