મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં માટીની આડમાં ટ્રકના ચોરખાનામાં દારૂની હેરાફેરી: 72 બોટલ દારૂ-72 બીયરના ટીન સાથે એક પકડાયો


SHARE







મોરબીમાં માટીની આડમાં ટ્રકના ચોરખાનામાં દારૂની હેરાફેરી: 72 બોટલ દારૂ-72 બીયરના ટીન સાથે એક પકડાયો

મોરબી જીલ્લામાં રાજસ્થાનથી માટી આવતી હોય છે અને તેની સાથે ઘણી વખત દારૂ અને બીયર પણ લઈ આવવામાં આવે છે આવી જ રીતે એલસીબીની ટીમે રાજસ્થાનથી માટીની આડમાં ટ્રકના ચોરખાનામાં દારૂની હેરાફેરીના કૌભાંડને પકડવામાં આવેલ છે અને 72 બોટલ દારૂ તેમજ 72 બીયરના ટીન સાથે શખ્સને પકડવામાં આવેલ છે અને પોલીસે 1,13,280 નો દારૂ તેમજ બીયર અને ટ્રક સહિતનો મુદામાલ કબજે કરેલ છે.

હળવદની મોરબી ચોકડી પાસે મોરબી એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી ત્યારે મળેલ બાતમી મુજબનો ટ્રક ટ્રેઇલર નં. આરજે 27 જીબી 2539 પસાર થતાં પોલીસે તેને રોકીને ચેક કર્યો હતો ત્યારે માટી ભરેલ ટ્રક ટ્રેઇલરમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી ચોરખાનાને ચેક કરવામાં આવતા તેમાંથી 72 બોટલ દારૂ તેમજ 72 બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 1,13,280 નો દારૂ તેમજ બીયર અને ટ્રક સહિત કુલ મળીને 6,18,280 ના મુદામાલ સાથે આરોપી તખતસિંગ શંભુસિંગ ચુંડાવત (47) રહે. માદરી દેવસ્થાન તાલુકો રાજસમંદ રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો. અને તેની પ્રાથમિક પૂછપરછમાં મોરબીના મુસ્તાક નામના શખ્સે દારૂ અને બીયર મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એમ.પી.પંડયા ની સૂચના મુજબ પીએસઆઇ કે.એચ.ભોચીયા તેમજ જીજ્ઞાસાબેન કણસાગરા, શકિતસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ તથા ભગીરથસિંહ વિજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.






Latest News