મોરબીના રફાળેશ્વર નજીક આવેલ પેપર મીલમાં રહેતો યુવાન એસિડ પી જતાં સારવારમાં મોરબીના જેતપર ગામે અજાણી કાર ચાલકે ધૂળેટી રમતા બાળકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં આજે બે સ્મશાન ગૃહમાં નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્ય લોકાર્પણ કરશે મોરબીમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા કાલે પ્રથમ સમુહલગ્નનું આયોજન: ૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે  મોરબીના બંધુનગર ગામની શાળાના શિક્ષકે જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી ટંકારાના લજાઈ નજીક કોમ્પલેક્ષની છત ઉપરથી દારૂની 192 બોટલ રેઢી મળી !: બુટલેગરની શોધખોળ મોરબી-માળીયા તાલુકામાં દારૂની બે રેડ: 17 બોટલ દારૂ સહિત કુલ 6.61 લાખનો મુદામાલ કબજે મોરબીના બરવાળા ગામે વાડીએ હલરમાં આવી જવાથી ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન


SHARE











મોરબીમાં સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન

સંસ્કૃતભારતી મોરબી દ્વારા તા.૭ ને રવિવારથી તા.૧૪ સુધી સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન અહિંના આર્ય સમાજ મંદિર, લખધીરવાસ, મોરબી ખાતે રાત્રીના ૮ થી ૯:૩૦ વાગ્યે થવા જઈ રહ્યું છે.જેમાં નિઃશુલ્ક સંસ્કૃત શીખવવામાં આવશે. 

દૈનિક જીવનમાં સંસ્કૃતમાં વાતચીત કરી શકાય તેવી સરળ અને અસરકારક વૈજ્ઞાનિક પદ્ધતિથી સંસ્કૃત સંભાષણ શીખવવામાં આવશે.મોરબી શહેરના ૧૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ આ વર્ગનો લાભ લઈ શકે છે.સંસ્કૃત અભિભાવુકો, સંસ્કૃત અભ્યાસુઓ, સંસ્કૃત જિજ્ઞાસુઓને આ વર્ગમાં જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.સંસ્કૃત ભાષાના ઉત્કર્ષ માટે સંગઠિત થવા અને વધુ માહિતી માટે મયુરભાઈ (મો.98256 33154) અથવા હિરેનભાઈ (મો.97145 27036) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.








Latest News