મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીની જામીન અરજી નામંજૂર


SHARE













મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીની જામીન અરજી નામંજૂર

મોરબીના રામકૃષ્ણનગરને સળગતી લારી પાસે ધક્કો મરવામાં આવ્યો હતો જે વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે ગુનામાં પકડાયેલા આરોપીઓની જામીન અરજી મૂકવામાં આવી હતી જે જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી છે.

મોરબીના રામકૃષ્ણનગરમાં ફરિયાદીના દીકરા સાથે મોબાઈલ ફોનમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો તેનું મનદુઃખ રાખી આરોપીએ ફરિયાદીના ઘરની બહાર રાખેલ ચપ્પલ લારીને સળગાવી દીધી હતી અને ફરિયાદીના પતિને ઢસડી માર મારી શેરીમાં સળગતી લારી પાસે ધક્કો મારી દીધો હતો જેથી કરીને દાઝી ગયેલ વ્યક્તિનું મોત નીપજયું હતું અને હત્યાનો ગુનો નોંધાયો હતો. જે ગુનાના આરોપી સંદીપ રાજેશ બોડા અને વિમલ નથુભાઈ કામલીયાએ જામીન અરજી મૂકી હતી જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે અને વકીલ દિલીપ આર. અગેચણીયા રોકાયેલ હતા. અને આરોપી તરફે વકીલે આરોપી નિર્દોષ હોવાની દલીલો કરી હતી. જો કે, ફરિયાદ પક્ષે જામીન અરજી સામે વાંધા જવાબ રજુ કર્યા હતા અને દલીલો કરી હતી કે, બંને આરોપીઓની બનાવ સ્થળ પર હાજરી હતી. અને ફરિયાદીના પતિને ઢસડીને સળગતી લારી પાસે ધક્કો દીધો હોય બંને આરોપીની સીધી સંડોવણી છે જેથી કોર્ટે સરકારી વકીલ સંજયભાઈ દવે અને વકીલ દિલીપ અગેચણીયાની દલીલોને માન્ય રાખી બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરેલ છે.






Latest News