મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીની જામીન અરજી નામંજૂર


SHARE













મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીની જામીન અરજી નામંજૂર

મોરબીના રામકૃષ્ણનગરને સળગતી લારી પાસે ધક્કો મરવામાં આવ્યો હતો જે વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે ગુનામાં પકડાયેલા આરોપીઓની જામીન અરજી મૂકવામાં આવી હતી જે જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી છે.

મોરબીના રામકૃષ્ણનગરમાં ફરિયાદીના દીકરા સાથે મોબાઈલ ફોનમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો તેનું મનદુઃખ રાખી આરોપીએ ફરિયાદીના ઘરની બહાર રાખેલ ચપ્પલ લારીને સળગાવી દીધી હતી અને ફરિયાદીના પતિને ઢસડી માર મારી શેરીમાં સળગતી લારી પાસે ધક્કો મારી દીધો હતો જેથી કરીને દાઝી ગયેલ વ્યક્તિનું મોત નીપજયું હતું અને હત્યાનો ગુનો નોંધાયો હતો. જે ગુનાના આરોપી સંદીપ રાજેશ બોડા અને વિમલ નથુભાઈ કામલીયાએ જામીન અરજી મૂકી હતી જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે અને વકીલ દિલીપ આર. અગેચણીયા રોકાયેલ હતા. અને આરોપી તરફે વકીલે આરોપી નિર્દોષ હોવાની દલીલો કરી હતી. જો કે, ફરિયાદ પક્ષે જામીન અરજી સામે વાંધા જવાબ રજુ કર્યા હતા અને દલીલો કરી હતી કે, બંને આરોપીઓની બનાવ સ્થળ પર હાજરી હતી. અને ફરિયાદીના પતિને ઢસડીને સળગતી લારી પાસે ધક્કો દીધો હોય બંને આરોપીની સીધી સંડોવણી છે જેથી કોર્ટે સરકારી વકીલ સંજયભાઈ દવે અને વકીલ દિલીપ અગેચણીયાની દલીલોને માન્ય રાખી બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરેલ છે.




Latest News