મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી વાંકાનેરની જામસર ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જીને માસૂમ બાળકનું મોત નીપજાવ્યું: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં વિરપર ગામે તળાવનો કોઝવે ક્રોસ કરીને રિક્ષા લેવા જતાં બે યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE













ટંકારા તાલુકાનાં વિરપર ગામે તળાવનો કોઝવે ક્રોસ કરીને રિક્ષા લેવા જતાં બે યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

ટંકારા તાલુકાના વિરપર ગામે રવિવારે વહેલી સવારે બે યુવાન તળાવનો કોઝવે ક્રોસ કરીને સામાકાંઠે રિક્ષા લેવા જતાં હતા ત્યારે તે બંને પાણીમાં ડૂબી જતા મોરબી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા બંને યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને આ બંને યુવાને તળાવના સામાકાંઠે રિક્ષા લેવા જઈ રહ્યાં હતાં ત્યારે પાણીમાં ડૂબી જવાના લીધે તે બંને યુવાનના મોત થયેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે રવિવારે ટંકારાના વીરપર ગામે આવેલ તળાવના સામાકાંઠે રીક્ષા લેવા માટે યુવાન વહેલી સવારે જય રહ્યા હતા ત્યારે કોઝવેમાં પગ લપસી જતા પ્રવિણભાઈ નરસીભાઈ સનાળિયા (42) અને પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનાળિયા (32) નામના બે યુવાન તળાવમાં ડૂબી ગયા હતા જેથી કરીને મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમે ત્યાં આવીને પાણીમાં ડૂબી ગયેલા પ્રવિણભાઈ સાણંદિયા અને પ્રેમજીભાઈ સાણંદિયાના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News