મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં વિરપર ગામે તળાવનો કોઝવે ક્રોસ કરીને રિક્ષા લેવા જતાં બે યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE













ટંકારા તાલુકાનાં વિરપર ગામે તળાવનો કોઝવે ક્રોસ કરીને રિક્ષા લેવા જતાં બે યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

ટંકારા તાલુકાના વિરપર ગામે રવિવારે વહેલી સવારે બે યુવાન તળાવનો કોઝવે ક્રોસ કરીને સામાકાંઠે રિક્ષા લેવા જતાં હતા ત્યારે તે બંને પાણીમાં ડૂબી જતા મોરબી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા બંને યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને આ બંને યુવાને તળાવના સામાકાંઠે રિક્ષા લેવા જઈ રહ્યાં હતાં ત્યારે પાણીમાં ડૂબી જવાના લીધે તે બંને યુવાનના મોત થયેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે રવિવારે ટંકારાના વીરપર ગામે આવેલ તળાવના સામાકાંઠે રીક્ષા લેવા માટે યુવાન વહેલી સવારે જય રહ્યા હતા ત્યારે કોઝવેમાં પગ લપસી જતા પ્રવિણભાઈ નરસીભાઈ સનાળિયા (42) અને પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનાળિયા (32) નામના બે યુવાન તળાવમાં ડૂબી ગયા હતા જેથી કરીને મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમે ત્યાં આવીને પાણીમાં ડૂબી ગયેલા પ્રવિણભાઈ સાણંદિયા અને પ્રેમજીભાઈ સાણંદિયાના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.








Latest News