લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ સંપેથી પાણીની સપ્લાઈ ચાલુ: 30 ગામનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો


SHARE

















માળીયા (મી)ના ખીરઈ સંપેથી પાણીની સપ્લાઈ ચાલુ: 30 ગામનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો

માળિયા તાલુકાના એક બે નહીં પરંતુ 30 જેટલા ગામમાં પાણીની સપ્લાઈ માટેના ખીરઈ ગામે આવેલ સંપ ઉપયોગમાં લેવામાં આવે છે તે સંપમાં મચ્છુના પાણી ફરી વળ્યા હતા. જેથી કરીને ત્યાંની મશીનરી પાણીમાં ડૂબી ગઈ હતી જેથી ગત મંગળવારથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સપ્લાય બંધ હતી જો કે, અધિકારીઓએ ટીમોને કામે લગાડીને આજેથી 30 ગામની પાણી સપ્લાઈ શરૂ કરી દીધેલ છે. જેથી લોકોનો પાણીનો પ્રશ્ન હાલમાં ઉકેલાઈ ગયેલ છે.

મોરબી નજીકના મહાકાય મચ્છુ-2 ડેમમાંથી ગત મંગળવારે સવારે 2.70 લાખ ક્યુસેક કરતાં પણ વધારે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું ત્યારે માળીયા મિયાણા તાલુકામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને માળીયા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે બે થી લઈને 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા ત્યારે ખીરઈ ગામ ગામ તરફ જવાના રસ્તા પાસે આવેલ પાણીના સંપમાં પણ અંદાજે ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેથી પાણી સપ્લાય માટે ખીરઈના સંપમાં ઉપયોગમાં લેવામાં આવતી ઈલેક્ટ્રીક મોટર સહિતની તમામ મશીનરી પાણીમાં ડૂબી ગઈ હતી

જેથી કરીને ગત મંગળવારથી ખાખરેચી આસપાસના 12ખીરાઈ પાસેના 8 અને મોટા દહીસરા ગામ પાસેના 10 ગામ આમ કુલ મળીને 30 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સપ્લાય બંધ થઈ ગઈ હતી અને નાછૂટકે લોકોને નદી નાલાના પાણીનો પીવાના પાણી તરીકે તથા ઘર વપરાશના પાણી તરીકે ઉપયોગ કરવો પડે તેવી પરિસ્થિતિ હતી જેથી કરીને સાંસદ અને ધારાસભ્ય દ્વારા ગઇકાલે માળીયાની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે પાણીનો પ્રશ્ન ઉકેલવા માટેની અધિકારીઓને સૂચના આપી હતી જેથી રાત દિવસ જોયા વગર કામ કરીને આ સંપને પુનઃ સહરું કરી દેવામાં આવેલ છે.

હાલમાં મોરબીમાં આવેલ જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઈ ચોડવાડિયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, માળીયા તાલુકામાં 30 ગામમાં ખીરઈ સંપથી પાણી સપ્લાઈ કરવામાં આવે છે જો કે, તે સંપ પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને ત્યાર મૂકવામાં આવેલ પેનલ અને ઇલેક્ટ્રીક મોટર સહિતની મશીનરીમાં નુકશાન થયું હતું જો કે, સંપને તાત્કાલિક ચાલુ કરવા માટે ટીમે રાત દિવસ જોયા વગર કામ કરીને આજથી આ સંપમાંથી જે ગામોને પાણીની સપ્લાઈ કરવા આવે છે તે તમામ ગામોને પાણી મળે તે રીતે સંપ ચાલુ કરી દીધેલ છે.




Latest News