લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીના રોહિદાસપરા સ્મશાન રોડ નવેસરથી બનાવવા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત


SHARE

















મોરબીના રોહિદાસપરા સ્મશાન રોડ નવેસરથી બનાવવા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત

મોરબીના વોર્ડ નં-૨ વિસ્તારમાં આવેલા રોહિદાસપરા, તથા ડો. આંબેડકર કોલોનીમાં સ્મશાન રોડનું કામ ચાલુ થાય તે પહેલાં રોહિદાસપરામા સ્મશાન રોડ ખોદી નવેસરથી બનાવવા નાગરિકો દ્વારા મોરબી પાલીકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરવામાં આવી છે.

સામાજિક કાર્યકર જયેશભાઇ કે.સારેસાએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે વોર્ડ નં-2 વિસ્તાર, સમશાનરોડ, ડૉ. આંબેડકર કોલોની, તેમજ રોહીદાસપરા મેઈન રોડ વગેરે જગ્યાએ નગરપાલિકા દ્વારા મંજુર થયેલ આર.સી.સી રોડનું કામ ચાલુ છે.જેમાં મેઈન આર.સી.સી રોડ જે હાલ પરિસ્થિતિ રોહીદાસપરા, ડો. આંબેડકર કોલોની તેમજ સમશાન રોડનું કામ ચાલુ થવાનું હોય ત્યારે સમશાન રોડ ઉપર પહેલા તો ભૂગર્ભ ગટરની સમસ્યા મોટા પાઇપ નાખી હલ કરવામાં આવે ત્યાર બાદ રોડનું કાર્ય શરૂ કરવામાં આવે તો રોડ લાંબો સમય ટકશે.

ઉલ્લેખનીય છે કે હાલ પરિસ્થિતિ મુજબ શેરીઓમાં ખુલ્લી ગટરનું ગંદુ પાણી ઊભરાતા ઢીંચણ સુધીનાં પાણી ભરાયેલ છે. જેનાથી અકસ્માત થવાની તેમજ રોગચાળો ફેલવાની શક્યતાઓ વધુ છે. તાજેતરમાં એક ૧૮ વર્ષનો યુવાન રોહીદાસપરા વિસ્તારમાં શેરીઓમાં પાણી ભરાયેલ હોવાથી ઘરમાં પણ પાણી આવેલ જે ઉલ્લેચવા જતાં ઇલેક્ટ્રીક શોક લાગવાથી યુવાનનું મૃત્યુ પામેલ છે.ભવિષ્યમાં પણ આવી દુર્ઘટના ન બને તે માટે સૌપ્રથમ ભૂગર્ભ ગટરની સમસ્યાનું ઝડપથી સમાધાન કરવામા આવે. તેમજ જે રોડનું કામ શરૂ થવાનું હોય તે કામ પૂરી ચોક્કસાઇથી તેમજ નવેસર જુના રોડ ખોદીને તેનું લેવલ કરી જે પાણી ભરાવાની સમસ્યા છે તે દુર કરવા પાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી છે.




Latest News