મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીના રોહિદાસપરા સ્મશાન રોડ નવેસરથી બનાવવા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત


SHARE













મોરબીના રોહિદાસપરા સ્મશાન રોડ નવેસરથી બનાવવા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત

મોરબીના વોર્ડ નં-૨ વિસ્તારમાં આવેલા રોહિદાસપરા, તથા ડો. આંબેડકર કોલોનીમાં સ્મશાન રોડનું કામ ચાલુ થાય તે પહેલાં રોહિદાસપરામા સ્મશાન રોડ ખોદી નવેસરથી બનાવવા નાગરિકો દ્વારા મોરબી પાલીકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરવામાં આવી છે.

સામાજિક કાર્યકર જયેશભાઇ કે.સારેસાએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે વોર્ડ નં-2 વિસ્તાર, સમશાનરોડ, ડૉ. આંબેડકર કોલોની, તેમજ રોહીદાસપરા મેઈન રોડ વગેરે જગ્યાએ નગરપાલિકા દ્વારા મંજુર થયેલ આર.સી.સી રોડનું કામ ચાલુ છે.જેમાં મેઈન આર.સી.સી રોડ જે હાલ પરિસ્થિતિ રોહીદાસપરા, ડો. આંબેડકર કોલોની તેમજ સમશાન રોડનું કામ ચાલુ થવાનું હોય ત્યારે સમશાન રોડ ઉપર પહેલા તો ભૂગર્ભ ગટરની સમસ્યા મોટા પાઇપ નાખી હલ કરવામાં આવે ત્યાર બાદ રોડનું કાર્ય શરૂ કરવામાં આવે તો રોડ લાંબો સમય ટકશે.

ઉલ્લેખનીય છે કે હાલ પરિસ્થિતિ મુજબ શેરીઓમાં ખુલ્લી ગટરનું ગંદુ પાણી ઊભરાતા ઢીંચણ સુધીનાં પાણી ભરાયેલ છે. જેનાથી અકસ્માત થવાની તેમજ રોગચાળો ફેલવાની શક્યતાઓ વધુ છે. તાજેતરમાં એક ૧૮ વર્ષનો યુવાન રોહીદાસપરા વિસ્તારમાં શેરીઓમાં પાણી ભરાયેલ હોવાથી ઘરમાં પણ પાણી આવેલ જે ઉલ્લેચવા જતાં ઇલેક્ટ્રીક શોક લાગવાથી યુવાનનું મૃત્યુ પામેલ છે.ભવિષ્યમાં પણ આવી દુર્ઘટના ન બને તે માટે સૌપ્રથમ ભૂગર્ભ ગટરની સમસ્યાનું ઝડપથી સમાધાન કરવામા આવે. તેમજ જે રોડનું કામ શરૂ થવાનું હોય તે કામ પૂરી ચોક્કસાઇથી તેમજ નવેસર જુના રોડ ખોદીને તેનું લેવલ કરી જે પાણી ભરાવાની સમસ્યા છે તે દુર કરવા પાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી છે.






Latest News