ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજ્યમંત્રી-મેયર સહિતનાઓએ કર્યું શ્રમદાન રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના મોડલ રોડની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના: મોરબીમાં રાજ્યમંત્રીએ રાષ્ટ્રના મહાપુરૂષોને સ્વચ્છતા અંજલિ અર્પણ કરી મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું બહાર પડાયું મોરબી: ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત માળિયા મિયાણામાં મિયાણા સમાજનો પ્રથમ શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો : ૨૬ વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તાથી માળીયા નેશનલ હાઈવે સુધીનો રોડ ૫ ઓક્ટોબર સુધી ભારે વાહનો માટે બંધ


SHARE











મોરબીના પીપળીયા ચાર રસ્તાથી માળીયા નેશનલ હાઈવે સુધીનો રોડ ૫ ઓક્ટોબર સુધી ભારે વાહનો માટે બંધ

માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવેમાં ભારે વરસાદના કારણે નુકશાની થયેલ ઘોવાથી મેજર પુલની તાંત્રિક ચકાસણી કરવામાં આવેલ અને પુલના એક ભાગમાં પ્રાથમિક દ્રષ્ટિ સેટલમેન્ટ જોવા મળેલ હોવાથી પુલની વિગતવાર બેરીંગ તથા પિયર ચેક કરવા જરૂરી હોવાના કારણે પીપળીયા ચાર રસ્તા થી માળીયા નેશનલ હાઇવે સુધી ભારે વાહનોના પ્રતિબંધ અંગેનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર તા. ૫/૧૦/૨૦૨૪ સુધી પીપળીયા ચાર રસ્તા થી માળીયા નેશનલ હાઇવે સુધી ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે .આ રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર જવા માટે અમદાવાદ/ કચ્છ તરફથી આવતા વાહન વ્યવહાર હાલ માળીયા થી પીપળીયા રસ્તાની જગ્યાએ માળીયા થી મોરબી ટંકારા/ આમરણ ધ્રોલ લતીપર વાળા રસ્તાનો ઉપયોગ કરશે. જામનગર આમરણ તરફથી આવતા વાહનો કચ્છ તરફ જવા માટે પીપળીયા ચાર રસ્તા થી નવલખી ફાટક થી રવીરાજ ચોકડી થી માળીયા/ કચ્છ તરફ જઇ શકાશે.

આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પી.જી.વી.સી.એલ.ના વાહનો, સબ વાહીની, એમ્બ્યુલન્સ, ફાયર ફાયટર, સ્કુલ/કોલેજના વાહનો, સામાજિક/ ધાર્મિક પ્રસંગોને લગત ભારે વાહન, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને મુક્તિ આપવામાં આવી છે.






Latest News