ટંકારાના વાઘગઢ ગામે ટ્રેક્ટર સાથે રાતે કૂવામાં પડી ગયેલા વૃદ્ધનું મોત
મોરબીમાં રસ્તા બાબતે થયેલ મારા મારીના બનાવમાં જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત ચાર આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં રસ્તા બાબતે થયેલ મારા મારીના બનાવમાં જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત ચાર આરોપીની ધરપકડ
મોરબીમાં ગોકુલનગર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે બંને પક્ષેથી ફરિયાદ કરવામાં આવી હતી જેમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત કુલ ચાર આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીમાં ગોકુલનગર શેરી નં-21 માં રહેતા કિરણબેન રતિલાલ ડાભી (27)એ મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીએ રોહિતભાઈ શામજીભાઈ કંઝારીયા, સંજયભાઈ ગોવિંદભાઈ કંઝારીયા, રમેશભાઈ ગોવિંદભાઈ કંઝારીયા, અને હરેશભાઈ રહે. બધા ગોકુલનગર પાછળ જાગાની વાડી વાળાની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, રોહિતભાઈ અને સંજયભાઈએ ફરિયાદીના પતિ સાથે રસ્તો મોટો કરવા બાબતે બોલાચાલી કરી હતી દરમિયાન રમેશભાઈ અને હરેશભાઈએ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીના પતિ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી ત્યારે રોહિત કંઝારીયાએ ફરિયાદીના પતિને ધારિયાનો ઊંધો ભાગ માથાના ભાગે માર્યો હતો જ્યારે સંજયભાઈએ કુહાડીની બુંધરાવટીનો ભાગ ડાબા પગના ભાગે માર્યો હતો તેમજ ચંપાબેનને કુહાડીના હાથા વડે કોણીના ભાગે માર મારીને ઇજા કરી હતી તથા ફરિયાદીના જેઠાણી લાભુબેનને રોહિત કંઝારીયાએ ધારિયા વતી પગના ભાગે ઇજા કરી હતી અને લીલાબેનને માથાના ભાગે ઊંધું ધારિયું મારીને ઇજા કરી હતી તેમજ પથ્થરના છૂટા ઘા કરીને ફરિયાદી અને સાહેદોને ઈજા કરવામાં આવી હોય ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિતભાઈ શાંતિલાલ ઉર્ફે શામજીભાઈ કંઝારીયા (29) તેમજ સંજયભાઈ ગોવિંદભાઈ કંઝારીયા (36), રમેશભાઈ ગોવિંદભાઈ કંઝારીયા (28) અને હરેશભાઈ નારણભાઇ કંઝારીયા (47) રહે. બધા ગોકુલનગર પાછળ જાગાની વાડી વાળાની ધરપકડ કરેલ છે