વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં રસ્તા બાબતે થયેલ મારા મારીના બનાવમાં જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત ચાર આરોપીની ધરપકડ


SHARE

















મોરબીમાં રસ્તા બાબતે થયેલ મારા મારીના બનાવમાં જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત ચાર આરોપીની ધરપકડ

મોરબીમાં ગોકુલનગર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે બંને પક્ષેથી ફરિયાદ કરવામાં આવી હતી જેમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત કુલ ચાર આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં ગોકુલનગર શેરી નં-21 માં રહેતા કિરણબેન રતિલાલ ડાભી (27)એ મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીએ રોહિતભાઈ શામજીભાઈ કંઝારીયાસંજયભાઈ ગોવિંદભાઈ કંઝારીયારમેશભાઈ ગોવિંદભાઈ કંઝારીયાઅને હરેશભાઈ રહે. બધા ગોકુલનગર પાછળ જાગાની વાડી વાળાની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કેરોહિતભાઈ અને સંજયભાઈએ ફરિયાદીના પતિ સાથે રસ્તો મોટો કરવા બાબતે બોલાચાલી કરી હતી દરમિયાન રમેશભાઈ અને હરેશભાઈએ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીના પતિ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી ત્યારે રોહિત કંઝારીયાએ ફરિયાદીના પતિને ધારિયાનો ઊંધો ભાગ માથાના ભાગે માર્યો હતો જ્યારે સંજયભાઈએ કુહાડીની બુંધરાવટીનો ભાગ ડાબા પગના ભાગે માર્યો હતો તેમજ ચંપાબેનને કુહાડીના હાથા વડે કોણીના ભાગે માર મારીને ઇજા કરી હતી તથા ફરિયાદીના જેઠાણી લાભુબેનને રોહિત કંઝારીયાએ ધારિયા વતી પગના ભાગે ઇજા કરી હતી અને લીલાબેનને માથાના ભાગે ઊંધું ધારિયું મારીને ઇજા કરી હતી તેમજ પથ્થરના છૂટા ઘા કરીને ફરિયાદી અને સાહેદોને ઈજા કરવામાં આવી હોય ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિતભાઈ શાંતિલાલ ઉર્ફે શામજીભાઈ કંઝારીયા (29) તેમજ સંજયભાઈ ગોવિંદભાઈ કંઝારીયા (36)રમેશભાઈ ગોવિંદભાઈ કંઝારીયા (28) અને હરેશભાઈ નારણભાઇ કંઝારીયા (47) રહે. બધા ગોકુલનગર પાછળ જાગાની વાડી વાળાની ધરપકડ કરેલ છે




Latest News