મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
SHARE








મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવે છે તેવી જ રીતે તાજેતરમાં લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા મોરબીમાં રામ ચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 9 અને તેથી ઉપરના વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટિફિકેટ તથા ઈનામો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. વધુમાં માહિતી આપતા સંસ્થાના પ્રમુખ જયેશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, આ વખતના સરસ્વતી સન્માન સમારોહમાં 270 થી વધુ વિદ્યાર્થીઓના ફોર્મ આવ્યા હતા અને તેમાંથી દરેક ધોરણમાં પ્રથમ અને દ્વિતિય નંબર મેળવનાર 115 થી પણ વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટિફિકેટ તથા ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. અને આ તકે મોટી સંખ્યામાં સમાજના ભાઈ અને બહેનો હાજર રહ્યા હતા તેવી માહિતી શ્રી રઘુવંશી યુવક મંડળમાં પ્રમુખ જયેશભાઇ સી. કોટેચા અને પ્રો. ચેરમેન વીરેનભાઈ એચ. પુજારાએ આપેલ છે.

