મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે દીવાલની માથાકૂટમાં હાઇકોર્ટના આદેશ પછી પોલીસે ફરિયાદ લીધી !


SHARE





ટંકારાના નેનામ ગામે દીવાલની માથાકૂટમાં હાઇકોર્ટના આદેશ પછી પોલીસે ફરિયાદ લીધી !

ટંકારાના નેનામ ગામે યુવાન પોતાના અને તેના કાકાના વડીલો પાર્જિત પ્લોટમાં દિવાલ બનાવવા માટેનું કામ કરાવતો હતો ત્યારે તેના સગા કાકા અને તેના બે દીકરા ત્યાં આવ્યા હતા અને દિવાલ બનાવવાનું કામ બંધ કરાવ્યું હતું તેમજ યુવાન અને સાહેદો સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી તથા યુવાનને ઢિકાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ટંકારા તાલુકાના નેકનામ ગામના રહેવાસી અને હાલમાં રાજકોટના જામનગર રોડ ઉપર પરસાણાનગર પાસે આવેલ શાંતિનિકેતન પાર્કમાં આવેલ શક્તિ કૃપા ખાતે રહેતા સુખદેવસિંહ નવલસિંહ ઝાલા (42)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રણજીતસિંહ ઝાલા, હરદેવસિંહ રણજીતસિંહ ઝાલા અને હરપાલસિંહ રણજીતસિંહ ઝાલા રહે. બધા નેકનામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, નેકનામ ગામે ફરિયાદી પોતાના પ્લોટ પાસે શેરીમાં ફરિયાદી તથા સાહેદોના વડીલો પાર્જિત પ્લોટમાં દિવાલ બનાવતા હતા દરમ્યાન આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેનું દીવાલનું કામ ચાલુ હતું તેને બંધ કરાવીને ફરિયાદી અને સાહે સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં ફરિયાદી સુખદેવસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, આ બનાવ તા 18/11/25 ના રોજ બનેલ હતો ત્યારે ટંકારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જો કે, પોલીસે ત્યારે ફરિયાદ લીધેલ ન હતી જેથી કરીને હાઇકોર્ટ સુધી ગયા હતા અને ત્યાર બાદ હાઇકોર્ટના આદેશ બાદ ટંકારા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News