ટંકારાના નેકનામ ગામે દીવાલની માથાકૂટમાં હાઇકોર્ટના આદેશ પછી પોલીસે ફરિયાદ લીધી !
SHARE
ટંકારાના નેકનામ ગામે દીવાલની માથાકૂટમાં હાઇકોર્ટના આદેશ પછી પોલીસે ફરિયાદ લીધી !
ટંકારાના નેકનામ ગામે યુવાન પોતાના અને તેના કાકાના વડીલો પાર્જિત પ્લોટમાં દિવાલ બનાવવા માટેનું કામ કરાવતો હતો ત્યારે તેના સગા કાકા અને તેના બે દીકરા ત્યાં આવ્યા હતા અને દિવાલ બનાવવાનું કામ બંધ કરાવ્યું હતું તેમજ યુવાન અને સાહેદો સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી તથા યુવાનને ઢિકાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ ટંકારા તાલુકાના નેકનામ ગામના રહેવાસી અને હાલમાં રાજકોટના જામનગર રોડ ઉપર પરસાણાનગર પાસે આવેલ શાંતિનિકેતન પાર્કમાં આવેલ શક્તિ કૃપા ખાતે રહેતા સુખદેવસિંહ નવલસિંહ ઝાલા (42)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રણજીતસિંહ ઝાલા, હરદેવસિંહ રણજીતસિંહ ઝાલા અને હરપાલસિંહ રણજીતસિંહ ઝાલા રહે. બધા નેકનામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, નેકનામ ગામે ફરિયાદી પોતાના પ્લોટ પાસે શેરીમાં ફરિયાદી તથા સાહેદોના વડીલો પાર્જિત પ્લોટમાં દિવાલ બનાવતા હતા દરમ્યાન આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદનું દીવાલનું કામ ચાલુ હતું તેને બંધ કરાવીને ફરિયાદી અને સાહેદ સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં ફરિયાદી સુખદેવસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, આ બનાવ તા 18/11/25 ના રોજ બનેલ હતો ત્યારે ટંકારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જો કે, પોલીસે ત્યારે ફરિયાદ લીધેલ ન હતી જેથી કરીને હાઇકોર્ટ સુધી ગયા હતા અને ત્યાર બાદ હાઇકોર્ટના આદેશ બાદ ટંકારા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.