મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા


SHARE







માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા

 

મોરબી મુન્દ્રા નેશનલ હાઈવે રોડ ઉપર ખીરાઇ ગામના પાટીયા પાસેથી ડમ્પર લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળના ભાગમાં આવી રહેલ એસટી બસના ચાલકે તેની બસ ડમ્પરની પાછળના ભાગમાં અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં કુલ મળીને પાંચેક મુસાફરોને ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ડમ્પરના ચાલકે એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં રાજકોટની માધાપર ચોકડી પાસે આવેલ ઓવે બ્રિજ ખાતે રહેતા મુકેશ કાલુ ભુરીયા (32)એ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે 18 ઝેડટી 1538 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે મોરબી મુન્દ્રા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ખીરાઇ ગામના પાટીયા પાસે ઓવરબ્રિજ ઉપરથી આરોપી તેના હવાલા વાળી એસટી બસ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બસને પૂર ઝડપે અને બીજાની જિંદગી જોખમાઈ તે રીતે બસ ચલાવી હતી અને ફરિયાદીના હવાલા વાળા ડમ્પરમાં પાછળના ભાગે એસટીની બસ અથડાવી હતી જેથી બસમાં બેઠેલા પેસેન્જરોમાં રાહુલભાઈ ભવનભાઈ ઠાકોર રહે. મોરબી, રવિન્દ્રસિંહ કાન્તાસિંહ પરમાર રહે. કોહરા, રામજીભાઈ મેઘજીભાઈ વણકર રહે. કુકામ મુમતાજબેન સાલેમામદભાઈ કાતિયાર અને સુલતાન સાલેમામદભાઈ કાતીયાર રહે. બંને અંજાર વાળાઓને શરીરે નાના મોટી ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ડમ્પરના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News