વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું
SHARE
વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું
વાંકાનેરના ભાયાવતી જાંબુડીયા ગામે રહેતી મહિલાને પેશાબમાં લોહી આવતું હોવાથી પેટમાં દુખાવો થતો હતો જેથી કરીને તે મહિલાને સારવાર માટે વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને ઇન્જેક્શન આપીને બાટલો ચડાવતી વખતે તે મહિલાને આંચકી આવી હતી જેથી કરીને આ મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક મહિલાના પતિએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ થાનગઢના મફતીયાપરામાં શ્રીરામ પોટરી પાસે નવા બનતા રોડ ખાતે રહેતા અને હાલ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે મુકેશભાઈ પુંજાભાઈ સાગઠીયાના મકાનમાં રહેતા રવિનાબેન કિશનભાઇ માંધડ (25)ને પેશાબમાં લોહી આવતું હોવાના કારણે પેટમાં દુખાવો થતો હતો જેથી કરીને તેને સારવાર માટે વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને ઇન્જેક્શન આપીને બાટલો ચડાવવામાં આવ્યો હતો. દરમ્યાન તેને આંચકી ઉપાડતા વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિ કિશનભાઇ વશરામભાઈ માંધડ (29)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે