હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે વાડીએ પરિણીતાએ જીવન ટુકાવ્યું: મોરબીના કેરાળા ગામ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત


SHARE







ટંકારાના નેકનામ ગામે વાડીએ ગળાફાંસો ખાઈને પરિણીતાએ કર્યો આપઘાત: મોરબીના કેરાળા ગામ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત

ટંકારાના નેકનામ ગામે વાડીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધીને પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જયારે મોરબીના કેરાળા ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં કિશોરભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સુનિતાબેન માંજુભાઈ સંગોડ (24)એ વાડીએ આવેલ જાંબુડાના ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેન મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની સુક્રમભાઈ ભરતભાઈ પરમાર રહે. મુળ દાહોદ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો દોઢ વર્ષનો છે અને 20 દિવસ પહેલા તેઓ નેકનામ ગામે ભાગમાં જમીન રાખીને ત્યાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા દરમિયાન મહિલાએ આપઘાત કરી લેતા પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા રેખાબેન લખમણભાઇ (50) નામના આધેડ મહિલા કોઈપણ કારણોસર કેરાળા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ડૂબી ગયા હતા જેથી તે મહિલાનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતા મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News