વાંકાનેર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો
SHARE
વાંકાનેર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો
સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારના અભિગમ મુજબ રાજ્ય સરકાર કક્ષાએથી સ્વછતાને વધુ વેગ આપવાના હેતુથી સ્વછતા ઝુંબેશનો શુભારંભ કરવામાં આવેલ છે ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, મોરબી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ચેતનગીરી ગોસ્વામી, વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર અશ્વિનભાઈ મેઘાણી, પાલિકા ચેરમેન જીગ્નેશભાઈ નાગરેચા, ચેરમેન બ્રિજરાજસિંહ ઝાલા, મનુભાઈ સારેસા સહિતનાઓની હાજરીમાં વાંકાનેર એસટી ડેપોના ડેપો મેનેજર અનિલભાઈ પઢારિયા તેમજ વાંકાનેર ડેપોના ટી.આઇ. રહીમભાઈ પરમાર અને એ.ટી.આઈ અનિલભાઈ ગઢીયા સહિતના સ્ટાફ દ્વારા વાંકાનેર ડેપો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સફાઈ કામદારો સાથે પુરી ટીમ દ્વારા સફાઇની કામગીરી કરાવી સ્વચ્છતા કાર્યક્રમની શરૂઆતમાં સફાઈ કરાવવામાં આવેલ હતી