વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે


SHARE







વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે

વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અને લાયન્સ કલબ (દેવદયા)ના સંયુકત ઉપક્રમે ત્રાંસી આંખ (સ્કિવન્ટ)ના દર્દીઓ માટે તા.8 ઓગષ્ટને શનિવારના રોજ વિનામૂલ્યે નિદાન અને કેસ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

 કેમ્પમાં વડોદરાના જાણીતા આંખના નિષ્ણાત ડો. જીતેન્દ્ર જેઠાણી અને તેમની ટીમ દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપશે. દર્દીઓના કેસ નોંધવાની પ્રક્રિયા સવારે 9થી 12 સુધી રહેશે.આયોજકો દ્વારા જણાવાયું છે કે દર્દી સાથે વધુમાં વધુ બે વ્યકિત જ આવી શકશે અને કેસ નોંધાવવા માટે દર્દીએ રૂબરૂ હાજર રહેવું ફરજીયાત રહેશે. કોઈપણ ઉમરના ત્રાંસી આંખના દર્દીઓ કેમ્પનો લાભ લઈ શકશે.આ કેમ્પનું આયોજન દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત એન.આર. દોશી, આંખનો હોસ્પીટલ, નવા બસ સ્ટેશન પાસે, વિદ્યાભારતી સ્કૂલ સામે, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો.94089 39982 પર સંપર્ક કરવા જણાવાયું છે






Latest News