મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે


SHARE





વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે

વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અને લાયન્સ કલબ (દેવદયા)ના સંયુકત ઉપક્રમે ત્રાંસી આંખ (સ્કિવન્ટ)ના દર્દીઓ માટે તા.8 ઓગષ્ટને શનિવારના રોજ વિનામૂલ્યે નિદાન અને કેસ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

 કેમ્પમાં વડોદરાના જાણીતા આંખના નિષ્ણાત ડો. જીતેન્દ્ર જેઠાણી અને તેમની ટીમ દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપશે. દર્દીઓના કેસ નોંધવાની પ્રક્રિયા સવારે 9થી 12 સુધી રહેશે.આયોજકો દ્વારા જણાવાયું છે કે દર્દી સાથે વધુમાં વધુ બે વ્યકિત જ આવી શકશે અને કેસ નોંધાવવા માટે દર્દીએ રૂબરૂ હાજર રહેવું ફરજીયાત રહેશે. કોઈપણ ઉમરના ત્રાંસી આંખના દર્દીઓ કેમ્પનો લાભ લઈ શકશે.આ કેમ્પનું આયોજન દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત એન.આર. દોશી, આંખનો હોસ્પીટલ, નવા બસ સ્ટેશન પાસે, વિદ્યાભારતી સ્કૂલ સામે, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો.94089 39982 પર સંપર્ક કરવા જણાવાયું છે




Latest News