મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે
SHARE
વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે
વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અને લાયન્સ કલબ (દેવદયા)ના સંયુકત ઉપક્રમે ત્રાંસી આંખ (સ્કિવન્ટ)ના દર્દીઓ માટે તા.8 ઓગષ્ટને શનિવારના રોજ વિનામૂલ્યે નિદાન અને કેસ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પમાં વડોદરાના જાણીતા આંખના નિષ્ણાત ડો. જીતેન્દ્ર જેઠાણી અને તેમની ટીમ દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપશે. દર્દીઓના કેસ નોંધવાની પ્રક્રિયા સવારે 9થી 12 સુધી રહેશે.આયોજકો દ્વારા જણાવાયું છે કે દર્દી સાથે વધુમાં વધુ બે વ્યકિત જ આવી શકશે અને કેસ નોંધાવવા માટે દર્દીએ રૂબરૂ હાજર રહેવું ફરજીયાત રહેશે. કોઈપણ ઉમરના ત્રાંસી આંખના દર્દીઓ કેમ્પનો લાભ લઈ શકશે.આ કેમ્પનું આયોજન દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત એન.આર. દોશી, આંખનો હોસ્પીટલ, નવા બસ સ્ટેશન પાસે, વિદ્યાભારતી સ્કૂલ સામે, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો.94089 39982 પર સંપર્ક કરવા જણાવાયું છે