મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

જામખંભાળીયા મામાનું શ્રાધ્ધ કરીને મોરબી આવી રહેલ ભાણેજનું ટંકારા નજીક માર્ગ અકસ્માતમાં મોત


SHARE













જામખંભાળીયા મામાનું શ્રાધ્ધ કરીને મોરબી આવી રહેલા ભાણેજનું ટંકારા નજીક માર્ગ અકસ્માતમાં મોત

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનનો દીકરો તેના નાની સાથે રિક્ષામાં જામખંભાળિયા ગયો હતો અને ત્યાંથી રિક્ષામાં તેઓ પરત આવી રહ્યા હતા દરમિયાન ટંકારાના લતીપર રોડ ઉપર ઓટાળા ગામ નજીક તેઓની રીક્ષા ઉભી હતી ત્યારે પાછળથી ટેન્કરના ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં રિક્ષામાં બેઠેલા પાંચ બાળકો સહિત કુલ સાત વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થઈ હતી જે પૈકીના એક બાળકને વધુ ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને મૃતક બાળકના પિતાની ફરિયાદ લઈને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટેન્કર ચાલક સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ભુજના માધાપર હાઇવે ઉપર હંગામી આવાસ જીઆઇડીસી વિસ્તારમાં ગેસના ગોડાઉન પાસે ઝૂંપડામાં રહેતા અને હાલમાં મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ફોરમ કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા પ્રકાશભાઈ પરસોત્તમભાઈ વાઘેલા જાતે વાંજા (39)ર અજાણ્યા ટેન્કર ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારાના લતીપર રોડ ઉપર ઓટાળા ગામ નજીકથી મનસુખભાઈની રીક્ષા નંબર જીજે 3 એ ડબલ્યુ 441 માં તેઓના સાસુ બબીબેન તેમજ તેમના ચાર પૌત્ર અને ફરિયાદીનો દીકરો વીર પ્રકાશભાઈ વાઘેલા (14) જામખંભાળિયાથી પરત રાજપર આવી રહ્યા હતા.

દરમિયાન તેઓની રોડ સાઇડમાં ઉભેલ રિક્ષાને અજાણ્યા ટેન્કર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રિક્ષામાં બેઠેલા ફરિયાદીના સાસુ અને ફરિયાદીના દીકરા સહિત કુલ સાત વ્યક્તિઓ બેઠલા હતા જીને નાના મોટી ઈજા થઈ હતી જેમાં ફરિયાદીના દીકરાને વધુ ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ યુવાને અજાણ્યા ટેન્કર ચાલે સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે

વધુમાં ફરિયાદી પ્રકાશભાઈ વાઘેલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શ્રાદ્ધ ચાલુ હતા દરમિયાન તેના એક સાળાનું અવસાન થયેલ હોય તેમના સાસુ બબીબેન તેઓના ચાર પૌત્ર અને ભાણેજ વીર પ્રકાશભાઈ વાઘેલા સાથે રિક્ષામાં જામખંભાળિયા ગયા હતા અને ત્યાંથી તેઓ પરત રિક્ષામાં મોરબી આવી રહ્યા હતા દરમિયાન ઓટાળા ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેના દીકરાને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારાના એ.એસ.આઇ. સી.એસ. કડવાતર ચલાવી રહ્યા છે.








Latest News