ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

 મોરબી રોટરી ક્લબ દ્વારા દિવાળી નિમિત્તે ઓપન મોરબી રંગોળી હરીફાઇનું આયોજન


SHARE







 મોરબી રોટરી ક્લબ દ્વારા દિવાળી નિમિત્તે ઓપન મોરબી રંગોળી હરીફાઇનું આયોજન

આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે મોરબી રોટરી ક્લબ દ્વારા રંગારંગ મહોત્સવને ઉજવવા માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ છે

રોટલી ક્લબ ઓફ મોરબી દ્વારા મોરબી પાલિકાને સાથે રાખીને રંગારંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવાળીમાં રંગોનું મહત્વ હોય છે જેથી કરીને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે લોકોને જાહેર અપીલ કરવામાં આવેલ છે અને આગામી 29 તારીખને મંગળવારે બપોરના અઢી વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મોરબીના મયુર પુલ ઉપર આવેલ ફૂટપાથ ઉપર આ રંગોળી સ્પર્ધા યોજવાની છે અને આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી 100 રૂપિયા રાખવામાં આવેલ છે અને સાત વાગ્યા બાદ રંગોળી લોકો નિહાળી શકાશે અને રંગોળીમાં ભાઈઓ બહેનો બાળકો વગેરે ભાગ લઈ શકશે.

આ સ્પર્ધા બે અલગ અલગ કેટેગરીમાં રાખવામાં આવેલ છે જેમાં એક કેટેગરીમાં પાંચથી 15 વર્ષ અને બીજી કેટેગરીમાં 15 વર્ષથી મોટા લોકો ભાગ લઈ શકશે અને બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને દ્વિતીય સ્પર્ધકોને નંબર આપવામાં આવશે. અને રંગોળી માટેની જરૂરી વસ્તુઓ સ્પર્ધાકે જાતે લાવવાની રહેશે અને ચાર બાય ચાર ફૂટની જ રંગોળી બનાવવાની રહેશે. આ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને તેના માટે રષેશભાઈ મહેતા (9898071475) અથવા બંસીબેન શેઠ (9376652360) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડન્ટ કિશોરસિંહ જાડેજા, પ્રોજેક્ટ ચેરમેન રષેશભાઈ મહેતા અને સેક્રેટરી ભરતભાઈ ભદ્રકિયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News