મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ કંપનીની દાદાગીરી-પોલીસનું દમન: મોરબીના જેતપર ગામે પોતાના ખેતરમાં ગયેલ મહિલાઓ-ખેડૂતોને ટિંગા ટોળી કરીને બહાર કાઢ્યા, અણિયારી ચોકડી ચક્કાજામ ખોલવા પોલીસે કર્યો બળપ્રયોગ
Breaking news
Morbi Today

 મોરબી રોટરી ક્લબ દ્વારા દિવાળી નિમિત્તે ઓપન મોરબી રંગોળી હરીફાઇનું આયોજન


SHARE











 મોરબી રોટરી ક્લબ દ્વારા દિવાળી નિમિત્તે ઓપન મોરબી રંગોળી હરીફાઇનું આયોજન

આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે મોરબી રોટરી ક્લબ દ્વારા રંગારંગ મહોત્સવને ઉજવવા માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ છે

રોટલી ક્લબ ઓફ મોરબી દ્વારા મોરબી પાલિકાને સાથે રાખીને રંગારંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવાળીમાં રંગોનું મહત્વ હોય છે જેથી કરીને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે લોકોને જાહેર અપીલ કરવામાં આવેલ છે અને આગામી 29 તારીખને મંગળવારે બપોરના અઢી વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મોરબીના મયુર પુલ ઉપર આવેલ ફૂટપાથ ઉપર આ રંગોળી સ્પર્ધા યોજવાની છે અને આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી 100 રૂપિયા રાખવામાં આવેલ છે અને સાત વાગ્યા બાદ રંગોળી લોકો નિહાળી શકાશે અને રંગોળીમાં ભાઈઓ બહેનો બાળકો વગેરે ભાગ લઈ શકશે.

આ સ્પર્ધા બે અલગ અલગ કેટેગરીમાં રાખવામાં આવેલ છે જેમાં એક કેટેગરીમાં પાંચથી 15 વર્ષ અને બીજી કેટેગરીમાં 15 વર્ષથી મોટા લોકો ભાગ લઈ શકશે અને બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને દ્વિતીય સ્પર્ધકોને નંબર આપવામાં આવશે. અને રંગોળી માટેની જરૂરી વસ્તુઓ સ્પર્ધાકે જાતે લાવવાની રહેશે અને ચાર બાય ચાર ફૂટની જ રંગોળી બનાવવાની રહેશે. આ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને તેના માટે રષેશભાઈ મહેતા (9898071475) અથવા બંસીબેન શેઠ (9376652360) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડન્ટ કિશોરસિંહ જાડેજા, પ્રોજેક્ટ ચેરમેન રષેશભાઈ મહેતા અને સેક્રેટરી ભરતભાઈ ભદ્રકિયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News