મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક ક્રેટા ગાડી પલટી જતાં ઇજા પામેલા યુવાને સારવાર દરમ્યાન 19 માં દિવસે દમ તોડ્યો


SHARE













મોરબી નજીક ક્રેટા ગાડી પલટી જતાં ઇજા પામેલા યુવાને સારવાર દરમ્યાન 19 માં દિવસે દમ તોડ્યો

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ સનાળા ગામ પાસે નવી બનતી મેડિકલ કોલેજ પાસે ક્રેટા ગાડી પલટી મારી ગઈ હતી અને ત્યારે માથામાં ગંભીર ઇજા થવાના કારણે સારવારમાં ખસેડવામાં આવેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા સાવન સુરેશભાઈ સવસાણી (19) નામનો યુવાન ગત તા. 8/10/2024 ના રોજ રાત્રિના ત્રણથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં ટંકારાથી મોરબી તરફ ક્રેટા ગાડી નંબર જીજે 36 એસી 1819 લઈને આવી રહ્યો હતો દરમિયાન સનાળા ગામ પાસે બની રહેલ નવી મેડિકલ કોલેજ સામે રસ્તા ઉપર ગાડી કોઈપણ કારણોસર પલટી મારી ગયેલ હતી જેથી સાવનને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હતી અને તેને તાત્કાલિક સારવારમાં લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું તા 26/10/24 ના રોજ રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના ભાઈ પાર્થ સુરેશભાઈ સવસાણી (22) રહે. કલ્યાણપુર તાલુકો ટંકારા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અજાણી મહિલાનું મોત

ટંકારા તાલુકાના હડમતીયાથી વાંકાનેરના કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ દલસુખભાઈ બોડાના ખેતરના શેઢે વોકળા પાસેથી ગત તા. 26/7/2023 ના બપોરના 12:30 વાગ્યાના અરસામાં અજાણી મહિલાની લાશ પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવી હતી જેથી કરીને જે તે સમય મહિલાના મૃતદેહને ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે ડેડબોડીને રાજકોટ લઈ ગયા હતા જોકે, મરણજનારના શરીર ઉપર કોઈ બાહ્ય નિશાન જોવા મળેલ ન હતા અને મરણનું સ્પષ્ટ કારણ આવેલ ન હતું જેથી કરીને વીસેરા અને સ્ટર્નમ બોન લઈને તપાસ કરવામાં આવી હતી અંગેની હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે થઈને તપાસ શરૂ કરવામાં આવી છે અને આ અંગેની વધુ તપાસ પીએસઆઈ પી.કે.સોધમ ચલાવી રહ્યા છે.








Latest News