ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

મોરબી નજીક ક્રેટા ગાડી પલટી જતાં ઇજા પામેલા યુવાને સારવાર દરમ્યાન 19 માં દિવસે દમ તોડ્યો


SHARE







મોરબી નજીક ક્રેટા ગાડી પલટી જતાં ઇજા પામેલા યુવાને સારવાર દરમ્યાન 19 માં દિવસે દમ તોડ્યો

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ સનાળા ગામ પાસે નવી બનતી મેડિકલ કોલેજ પાસે ક્રેટા ગાડી પલટી મારી ગઈ હતી અને ત્યારે માથામાં ગંભીર ઇજા થવાના કારણે સારવારમાં ખસેડવામાં આવેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા સાવન સુરેશભાઈ સવસાણી (19) નામનો યુવાન ગત તા. 8/10/2024 ના રોજ રાત્રિના ત્રણથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં ટંકારાથી મોરબી તરફ ક્રેટા ગાડી નંબર જીજે 36 એસી 1819 લઈને આવી રહ્યો હતો દરમિયાન સનાળા ગામ પાસે બની રહેલ નવી મેડિકલ કોલેજ સામે રસ્તા ઉપર ગાડી કોઈપણ કારણોસર પલટી મારી ગયેલ હતી જેથી સાવનને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હતી અને તેને તાત્કાલિક સારવારમાં લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું તા 26/10/24 ના રોજ રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના ભાઈ પાર્થ સુરેશભાઈ સવસાણી (22) રહે. કલ્યાણપુર તાલુકો ટંકારા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અજાણી મહિલાનું મોત

ટંકારા તાલુકાના હડમતીયાથી વાંકાનેરના કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ દલસુખભાઈ બોડાના ખેતરના શેઢે વોકળા પાસેથી ગત તા. 26/7/2023 ના બપોરના 12:30 વાગ્યાના અરસામાં અજાણી મહિલાની લાશ પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવી હતી જેથી કરીને જે તે સમય મહિલાના મૃતદેહને ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે ડેડબોડીને રાજકોટ લઈ ગયા હતા જોકે, મરણજનારના શરીર ઉપર કોઈ બાહ્ય નિશાન જોવા મળેલ ન હતા અને મરણનું સ્પષ્ટ કારણ આવેલ ન હતું જેથી કરીને વીસેરા અને સ્ટર્નમ બોન લઈને તપાસ કરવામાં આવી હતી અંગેની હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે થઈને તપાસ શરૂ કરવામાં આવી છે અને આ અંગેની વધુ તપાસ પીએસઆઈ પી.કે.સોધમ ચલાવી રહ્યા છે.






Latest News