મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબીના રાધન આશ્રમ-આમરણ રામજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન-મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા


SHARE













મોરબીના રાધન આશ્રમ-આમરણ રામજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન-મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મોરબીના આમરણ ગામે આજે નૂતન વર્ષ પર્વ પ્રસંગે રામજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન ,મહાઆરતી, સહિતના ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ નૂતન વર્ષ પર્વ પ્રસંગે મહાઆરતી અને અન્નકુટ દર્શન,સહિતના વિવિધ ધાર્મિક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહા આરતી રામજી મંદિરના પૂજારી મુકેશભાઈ રામાનંદી સાધુ તથા જુગતરામ રામાનંદી સાધુ  તેમજ તમામ ગ્રામજનોના સહયોગ દ્વારા કરવામાં આવી હતી. આ અન્નકુટ ભોગના દર્શન કરવા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આવી જ રીતે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીબેન અને રતનબેન દ્વારા ૫૬ ભોગ અન્નકુટ રાખવામાં આવ્યો હતો જેમાં જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ, ફરસાણ,મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવ્યો હતો.બહોળી સંખ્યામાં ભકતજનોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો, અને ભકતજનો માટે પ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી હતી. અને ભાઈ બીજ નિમિત્તે મર્યાદિત સંખ્યામાં આશ્રમ ખાતે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ, સંતવાણી સહિતના વિવિધ કાર્યકમ રાખવામાં આવ્યા છે. જેને સફળ બનાવવા મહંત ભાવેશ્વરીબેન, રતનબેન, મુકેશ ભગત અને દિલીપ મહારાજ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. 








Latest News