મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા


SHARE









વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષ નિમિતે યોજાતા પરંપરાગત અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા હતાં અને અને કોરોના કાળ નાં લાંબા સમય બાદ આ અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ભાવવિભોર બન્યા હતાં. 
નૂતન વર્ષના પ્રારંભે Baps સ્વામિનારાયણ મંદિર ખાતે વહેલી સવારથી હરિભકતોએ અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધાકૃષ્ણ દેવ અને ગુરૂ પરંપરાની મૂર્તિ પ્રતિમા સમક્ષ અનેક વિધ મિષ્ટાન્ન, ફરસાણ સહિતની શુધ્ધ વાનગીઓ ધરાવી હતી, મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી, મંગલ પ્રકાશ સ્વામીએ ભગવાન સમક્ષ ભાવ પુર્વક થાળ ગાન શરૂ કરતાં લાંબા સમય સુધી સુમસામ રહેલ મંદિર ફરી એક વાર ગુંજી ઉઠયું હતું અને હરિભકતો પણ ડોલી ઉઠયા હતાં, હરિસ્મરણ સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી મહંત સ્વામીએ નૂતન વર્ષના પ્રારંભે સૌ હરિભક્તો તન,મન, ધનથી સુખી રહે તેવા આશીર્વાદ પાઠવ્યા છે, હરિસ્મરણ સ્વામી એ વાંકાનેર સત્સંગ મંડળનાં પાયાનાં અગ્રણી અક્ષર નિવાસી પ્રવીણભાઈ આશરને પણ સંભાર્યા હતાં, છેલ્લે સંતો અને હરિભક્તો હસ્તે આરતી કરવામાં આવી હતી, લાંબા સમય બાદ હરિભકતો એક સાથે એકત્રીત થતાં સૌ કોઈએ અક્ષર પુરુષોત્તમ મહારાજનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી, સમગ્ર આયોજન સફળ બનાવવા વાંકાનેર સત્સંગ મંડળનાં અગ્રણી જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી, સુમિતભાઈ ત્રિવેદી, યુવતી મંડળ, મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી.






Latest News