મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા


SHARE

















વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષ નિમિતે યોજાતા પરંપરાગત અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા હતાં અને અને કોરોના કાળ નાં લાંબા સમય બાદ આ અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ભાવવિભોર બન્યા હતાં. 
નૂતન વર્ષના પ્રારંભે Baps સ્વામિનારાયણ મંદિર ખાતે વહેલી સવારથી હરિભકતોએ અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધાકૃષ્ણ દેવ અને ગુરૂ પરંપરાની મૂર્તિ પ્રતિમા સમક્ષ અનેક વિધ મિષ્ટાન્ન, ફરસાણ સહિતની શુધ્ધ વાનગીઓ ધરાવી હતી, મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી, મંગલ પ્રકાશ સ્વામીએ ભગવાન સમક્ષ ભાવ પુર્વક થાળ ગાન શરૂ કરતાં લાંબા સમય સુધી સુમસામ રહેલ મંદિર ફરી એક વાર ગુંજી ઉઠયું હતું અને હરિભકતો પણ ડોલી ઉઠયા હતાં, હરિસ્મરણ સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી મહંત સ્વામીએ નૂતન વર્ષના પ્રારંભે સૌ હરિભક્તો તન,મન, ધનથી સુખી રહે તેવા આશીર્વાદ પાઠવ્યા છે, હરિસ્મરણ સ્વામી એ વાંકાનેર સત્સંગ મંડળનાં પાયાનાં અગ્રણી અક્ષર નિવાસી પ્રવીણભાઈ આશરને પણ સંભાર્યા હતાં, છેલ્લે સંતો અને હરિભક્તો હસ્તે આરતી કરવામાં આવી હતી, લાંબા સમય બાદ હરિભકતો એક સાથે એકત્રીત થતાં સૌ કોઈએ અક્ષર પુરુષોત્તમ મહારાજનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી, સમગ્ર આયોજન સફળ બનાવવા વાંકાનેર સત્સંગ મંડળનાં અગ્રણી જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી, સુમિતભાઈ ત્રિવેદી, યુવતી મંડળ, મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી.




Latest News