મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ધમાકેદાર સિલ્વર જયુબિલી ઉજવણીનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ધમાકેદાર સિલ્વર જયુબિલી ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના 25 પૂર્ણ થતાં સિલ્વર જયુબિલી ઉજણાવી કરેલ હતી અને  વર્ષ 1999  થી સંસ્થા મોરબીમાં કાર્યરત છે. આ નિમિતે ભુતપૂર્વ વિદ્યાર્થીઓ  તથા ભુતપૂર્વ સ્ટાફમિત્રોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહ શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે રાખવામા આવેલ હતો અને સંસ્થાની  જુદી જુદી ફેકલ્ટીમાં અભ્યાસ કરી ચૂકેલા ભુતપૂર્વ  વિદ્યાર્થીઓ તથા સ્ટાફે જૂના મિત્રોએ હળીમળીને હર્ષભેર ઉજવણી કરી હતી અને ત્યારે જૂન સંસ્મરણોને તાજા કર્યા હતા તેમજ પોતાના ફેવરિટ ટીચર, પોતાના શૈક્ષણિક પ્રવાસની મજાને યાદ કરી હતી તેમજ નવયુગના વિદ્યાર્થીઓએ આજે કઈ કઈ જગ્યાએ નોકરી કરી રહ્યા છે તેની માહિતી આપવામાં આવી હતી. આ તકે ઘણા લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ શાળામાં અભ્યાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા સ્થળોએ સેટલ થયેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઑ અને સ્ટાફનું સ્નેહ મિલન સહુ કોઇની માટે યાદગાર બની રહ્યું હતું જેથી કરીને તમામે સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા અને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે ઉચ્ચ હોદા મેળવેલ, પોતાની કુનેહથી  નવા ક્ષેત્રમાં ખેડાણ કરનાર, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, કલા ક્ષેત્રમાં, સરકારી વહીવટી તંત્રમાં, આરોગ્ય ક્ષેત્રે, સરંક્ષણ ક્ષેત્રે  આગળ આવેલ વિદ્યાર્થીઓ અને સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી અને વર્ષોથી મોરબી નવયુગ ગ્રૂપના સમાચારોને પોતા પોતાના માધ્યમમાં પ્રકાશિત કરતાં તમામ પત્રકારોનો પણ સંસ્થાના સંચાલક પી.ડી.કાંજીયાએ આભાર વ્યક્ત કરેલ હતો.






Latest News